રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૧મી જયંતી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અગ્રણીઓની પણ રાષ્ટ્રપિતાને અંજલિઃ શાસ્ત્રીજીને પણ રાષ્ટ્રની શ્રદ્ધાંજલિ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૨
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે ૧૫૧મી જન્મજયંતી છે. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે સવારે રાજઘાટ પહોંચ્યા. પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીને નમન કર્યાં. આ દરમિયાન અહીં જયંતીના અવસરે ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજય ઘાટ પહોંચીને પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાંજલિ આપી. લાલ બહાદુર શાસ્ત્રીની પણ આજે ૧૧૬મી જયંતી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધી જયંતીના અવસરે ટ્વીટ કરીને રાષ્ટ્રપતિને શ્રદ્ધાંજલિ આપી. તેમણે લખ્યું કે ગાંધીજીના અસાધારણ વ્યક્તિત્વ તથા સાધનાપૂર્ણ જીવને વિશ્વને શાંતિ, અહિંસા અને સદભાવનો માર્ગ દેખાડ્યો. તેમણે લખ્યું કે સ્વદેશીના ઉપયોગને વધારવાના તેમના સ્વપ્નને પૂર્ણ કરવા માટે આજે સમગ્ર દેશ મોદીજીના આત્મનિર્ભર ભારતના સંકલ્પની સાથે સ્વદેશી અપનાવી રહ્યો છે. ગાંધી જયંતી પર તેમને કોટિ કોટિ નમન. આ અગાઉ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે એક ઓક્ટોબરે દેશવાસીઓને સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવાનું અને સ્વચ્છ તથા સમૃદ્ધ ભારતના નિર્માણ માટે આહ્વાન કર્યું. એક અધિકૃત નિવેદનમાં આ જાણકારી અપાઈ. ગાંધી જયંતીની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે ગાંધીજીએ જણાવ્યું કે સત્ય, અહિંસા, અને પ્રેમનો માર્ગ સમાજમાં સોહાર્દ, અને સમાનતા લાવીને વિશ્વ કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરે છે. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીના મૂલ્યો જેટલા પ્રાસંગિક ગઈ કાલે હતા એટલા જ આજે છે અને ભવિષ્યમાં રહેશે.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...