વાહનવ્યવહાર વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય
આરટીઓની કામગીરી ઓનલાઇન કરાતા અરજદારોએ હવે આરટીઓ ઓફિસ સુધી જવાની જરૂર જ નહીં પડે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૧૪
કોરોનાની મહામારીમાં અરજદારોએ આરટીઓના ધક્કા નહીં ખાવા પડે તેવા એક રાહતના સમાચાર મલી રહ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આરટીઓની કામગીરી ઓનલાઇન કરી દેવતા અરજદારોએ હવે આરટીઓ ઓફિસ સુધી આવવું જ નહીં પડે. ખાસ કરીને ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવવું, ડુપ્લિકેટ બનાવવું, ખરાબ થઇ ગયું હોય તો નવું બનાવડાવવું અથવા લાઇસન્સનું સર્ટિફિકેટ, વાહનનો સ્ક્રીન રિપોર્ટ સહિતની કામગીરી ઓનલાઈન કરી દેવાતા અરજદારોએ હવે રાહતનો શ્વાસ લીધો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે કોરોનાની મહામારી વચ્ચે આરટીઓમાં મર્યાદિત અરજદારો વચ્ચે મોટાભાગની કામગીરી ઓનલાઇન કરી દેવામાં આવી છે. જે કામગીરી માટે અરજદારોની રૂબરૂ હાજરી જરૂર નથી. ખાસ કરીને ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવવા, ડુપ્લિકેટ કઢાવવા અને ફોટો બદલાવવા જેવી કામગીરી ઓનલાઇન કરાયા બાદ લોકોએ પણ તેનો ભરપૂર લાભ લીધો છે.
લોકડાઉન બાદ સુરત આરટીઓમાં ૩૪,૦૦૦ લોકોએ ઘર બેઠા ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવ્યા અને ડુપ્લિકેટ બનાવડાવ્યા છે. ઘરે બેઠા ઓનલાઇન કામગીરી થઇ શકે તેવી કામગીરી માટે અરજદારોએ ઇર્ંના ધક્કા નહીં ખાવા પડે તે માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આવી કામગીરી ઓનલાઇન કરી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હવેથી રાજ્યમાં ઇર્ંની ઘર બેઠા જ સમગ્ર કામગીરી પૂર્ણ કરી શકાય છે, એટલું જ નહીં હજુ પણ દરરોજ ૩૦૦ થી વધુ અરજીઓ આવી રહી છે .
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...