ઉત્તર પ્રદેશ બાદ ગુજરાતમાં મહિલા સલામત નથી
દાદીની ફરિયાદ ઉપર નાની, મામા સહિત ત્રણ જણની પોલીસે ધરપકડ કરી : મુખ્ય આરોપી પલાયન થઇ ગયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોડિનાર, તા. ૧૩
દેશમાં દીકરીઓ સુરક્ષિત નથી અને દીકરીઓ પર દિવસે અને દિવસે અત્યાચારો વધતા જાય છે ત્યારે ગુજરાતમાં પણ દીકરીઓ સુરક્ષિત નથી. છાસવારે બળાત્કારની ઘટનાઓ રાજ્યમાં સામે આવી રહી છે. હવે હદ તો એ થઇ છે કે, કિશોરીઓ આ ઘટનાઓથી એટલી હદે ડરી ગઇ છે કે, સરકાર પાસે હથિયાર રાખવા માટે લાઇસન્સની માંગણી કરી રહી છે. ત્યાં જ ગીર સોમનાથમાં વધુ એક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે પોલીસે ૩ આરોપીઓની અટકાયત કરી છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આ દુષ્કર્મની ઘટનામાં સગીરાના નાની અને મામાની પણ અટકાયત કરવામાં આવી છે. જોકે મુખ્ય આરોપી હજૂ પણ ફરાર છે. આ મામલે પીડિતાના દાદીએ ફરિયાદ કરતા પોલીસે આ લોકોની અટકાયત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગીર સોમનાથના કોડિનારમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. ૧૪ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. આ મામલે પોલીસે ૩ આરોપીની અટકાયત કરી છે. જેમા પીડિતાના નાની, મામા, અને લીલી નામની મહિલાની અટકાયત કરવામાં આવી છે. ત્યાં જ મુખ્ય આરોપી પ્રવીણ ઝાલા હજુ પણ ફરાર છે.
૧૪ વર્ષની પીડિતા પર બળાત્કારની ઘટનામાં દાદાએ ફરિયાદ કરતા પોલીસ એક્શનમાં આવી ગઇ હતી. અને પીડિતાના નાની તેમજ મામાની ભૂમિકા પણ આ બનાવમાં હોવાથી પોલીસે તાબડતોડ તેમની ધરપકડ કરી લીધી છે.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...