આનંદનગર વિસ્તારનો બનાવ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૪
કોરોના અને લોકડાઉનના કપરા સમયગાળામાં લોકોની માનસિક સ્થિતી વિકૃત થઈ ગઈ છે, લોકો પોતાનું માનસિક સંતુલન નાની-નાની વાતોમાં ગુમાવતા થયા છે. ત્યારે આવો જ એક કિસ્સો સેટેલાઈટનાં આનંદનગર રોડ ઉપર આવેલાં હેત્વી ટાવર પાસે આવેલી નિર્મલ પાર્ક સોસાયટીમાં બન્યો છે. આ સોસાયટીમાં રહેતાં પિયુષ નાહરે ગુસ્સામાં આવીને માત્ર ૪૫ દિવસનાં જ પોતાના પાલતુ શ્વાન (લેબ્રાડોર)ને મોતને ઘાટ ઉતારી દીધુ હતુ. ઘરમાં પાલતું શ્વાન આવ્યા બાદ નાની નાની વાતમાં ઝઘડાની વચ્ચે શ્વાનનાં માલિકે ગલુડિયાને ગુસ્સામાં ભીંત સામે ૨-૩ વાર ફેંક્યુ હતુ અને આખરે ઘર ની બહાર માસુમ ને ફેંકી દીધું હતું, જેમાં શ્વાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયુ હતુ, ત્યારે શ્વાન પ્રેમી અને પાંજરાપોળ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટમાં માનદ સેવા આપતા દેવેષ ત્રિવેદીને સમગ્ર કિસ્સાની જાણ થતાં તેમણે ગલુડિયાની સારવાર કરી હતી. જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલાં ગલુડિયાનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ. ત્યારે દેવેષભાઈ ત્રિવેદીએ આવા વિકૃત માનસ ધરાવતા પિયુષ નાહર સામે આનંદ નગર પોલીસ સ્ટેશન માં એફઆઈઆર દાખલ કરી હતી.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...