મુંબઈના વર્સોેવામાં પોલીસ ફરિયાદ
આલિયાએ ગત અઠવાડિયે યુપીમાં ફરિયાદ નોંધાવી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૨૫
બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની આલિયા સિદ્દીકી એક વખત ફરીથી ચર્ચામાં છે. બંને વચ્ચે કંઇ જ બરાબર નથી ચાલી રહ્યું. બંને વચ્ચે ગત કેટલાંય સમયથી અણબનાવ ચાલે છે અને હવે ફરી એક વખત નવાઝુદ્દીનની મુશ્કેલીઓ વધી ગઇ છે. તેની પત્ની આલિયાએ તેનાં વિરુદ્ધ લેખિત ફરિયાદ દાખલ કરાવતા તેનાં ઉપર બળાત્કાર અને છેતરપીંડીનો આરોપ લગાવ્યો છે. એક્ર વિરુદ્ધ આલિયાએ મુંબઇનાં વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રિપોર્ટ્સ મુજબ, ફરિયાદ નોંધવામાં આવી છે. આલિયાએ ગત અઠવાડિયે તેની ફરિયાદ મામલે ઉત્તર પ્રદેશનાં મુઝફ્ફરનગર સ્થિત બુઢાના પોલિસ સ્ટેશનમાં તેનું નિવેદન દાખલ કરાવ્યું હતું. આ ફરિયાદમાં તેણે નવાઝ અને તેનાં પરિવારનાં ચાર સભ્યોનાં નામનો ઉલ્લેખ કર્યો છે. આ મામલે હવે પોલીસ નવાઝુદ્દિન સિદ્દિકીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયા સિદ્દીકીમાં ગત લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે. આલિયાએ થોડા સમય પહેલાં જ નવાઝુદ્દીનને છુટાછેડાની નોટિસ ફટકારી હતી. નવાઝ કોરોનાને કારણે થયેલાં લોકડાઉનમાં મુંબઇથી તેનાં ગામ બુઢાના જતો રહ્યો હતો અને ત્યારથી જ તે ત્યાં છે. જુલાઇ મહિનાની ૨૭ તારીખે આળિયાએ મુંબઇનાં એક પોલીસ સ્ટેશનમાં નવાઝ અને તેનાં પરિવાર વિરુદ્ધ એક એફઆઈઆર પણ દાખલ કરી છે. આ મામલો મુંબઇનો નથી એટલે તેની ફરિયાદ મુઝફ્ફર નગર પાસેનાં બુઢાના સ્થાનાંતરિત કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, હાલમાં જ આલિયાએ સોશિયલ મીડિયા પર એખ ઓપન લેટર નવાઝનાં નામે લખ્યો હતો. ટિ્વટર પર આ લેટરમાં આલિયાએ નવાઝ અને તેનાં પરિવારને ખુબજ ઘમકાવ્યાં હતાં. અને સ્પષ્ટ કહ્યું હતું કે, તે કંઇપણ થઇ જાય નવાઝ કે તેનાં સાસરાવાળા સામે ઝુકશે નહીં. આલિયાએ નવાઝનાં ભાઇઓ અને પીઆર મશીનરીને પણ ભારે ધમકાવ્યા હતાં.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...