સુરતમાં ઢોંગી ભૂઈમાનાં ધતિંગનો પર્દાફાશ કરાયો

સંતાન પ્રાપ્તિની વિધિના નામે લૂંટ થતી હતી
માતાજીનું સ્થાનક બનાવી ૪-૫ વર્ષથી દુઃખ દર્દ દૂર કરવા નામે ૧૦ હજારથી ૫ લાખ સુધીની ફી વસુલી કરી લૂંટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત,તા.૧૩
સુરતના સરથાણા વિસ્તારમાં પોતાના ઘરમાં મેલડી માતાનું મંદિર બનાવી છેલ્લા ૧૮ વર્ષથી માનતા, ટેક, જોવાનું કામ કરતી ભૂઇમાની ધતિંગલીલાને ભારત જન વિજ્ઞાન જાથાએ ખુલ્લી પાડી હતી. બનાવ પોલીસ મથક સુધી જતાં ભૂઇમા અને તેમના પૂત્રે સોગંદનામામાં હવે આવી કોઇ પ્રવૃત્તિ નહીં કરવાનું કબૂલાતનામું લખી આપ્યું હતું. મુળ ભાવનગરના અને ૧૮ વર્ષથી સરથાણાના અવધ, સુભાષ પાર્ક ખાતે રહેતાં લાભબેન વશરામભાઇ અણધણે ઘરમાં જ મેલડી માતાજીનું સ્થાનક બનાવી ૪-૫ વર્ષથી દુઃખ દર્દ દૂર કરવા, સંતાન પ્રાપ્તિ જેવી વિધિના નામે ૧૦ હજારથી ૫ લાખ સુધીની ફી વસુલતા હોવાની ફરિયાદ સતત સામે આવતી હતી જોકે સુરત સાથે પાલીતાણા પાસેના ગામના લોકો પણ આ માતા આવનારા આવનાર ભક્તો પાસેથી સોના ચાંદી છત્ર સાથે અનેક ભેટ સોગાદો પણ મેળવતી હતી. જોકે આ માતાની સતત ફરિયાદના આધારે ભારત વિજ્ઞાન જાથાના આગેવાનો પોલીસની મદદ આ મહિલાનો ભાંડો ફોડવા પોંહચીયા હતા ત્યારે આ મહિલાનો દીકરો પોલીસ અને ભારત વિજ્ઞાન જાથાના લોકો સાથે દાદાગીરી કરવા લાગ્યો હતો. જોકે પોલીસે આ મહિલાના દીકરાને પોલીસની ભાષામાં સમજાવ્યો હતો જોકે મહિલાને પોલીસે અને ભારત વિજ્ઞાન જાથાના આગેવાનો એ ચમત્કાર કરી બતાવ કહ્યું હતું. જેને લઈને આ મહિલાની તમામ હકીકત સામે આવતી જતા આ મહિલા પોતે પાંખડ કરી લોકોને છેતરતી હોવાનું કબૂલાત કરી હતી.
જોકે મહિલાની કબૂલાત બાદ ભવિષ્યમાં આવી રીતના પાંખડ નહિ કરવાની લેખિતમાં બાંહેધરી આપી હતી. જોકે પહેલા દુકાન અને કારખાનું હતુ પણ વેપાર ચોપાટ થીજતા ધાર્મિકતાની આડમાં આ ધુણવાનો વેપાર શરૂ કર્યો હતો. જોકે આ વેપાર થકી થયેલા નુકસાન કવર કરવામાં તેમને સફળતા મળી હતી. જેને લઈને આ વેપાર શરુ રાખ્યો હતો. જોકે આ મામલે સરથાણા પોલીસે આ મહિલા વિરુદ્ધ ફરિયાદ આપવા આવશે તો તે ફરિયાદ લઈને આ મહિલા વિરુદ્ધ કાર્યવાહીપણ કરવાની ત્યારી પોલીસે બતાવી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope