આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ
મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે બંધબારણે બેઠક કર્યા બાદ એપોલો હોસ્પિટલમાં દાખલ થયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૯
ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રમુખ સીઆર પાટિલ મંગળવારે અપોલો હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમને કોરોના પોઝિટિવ હોવાની વાતો વાયુવેગે પ્રસરી હતી પરંતુ ખુદ પાટિલે આ બાબતને ટ્વીટ દ્વારા રદિયો આપી જણાવ્યું કે તેમના આરટીપીસીઆર ટેસ્ટની રાહ જોવાઈ રહી છે. આજે આ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે માઈલ્ડ વાયરલ હોવાથી રવિવાર સુધી સારવાર હેઠળ રહેશે. ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સીઆર પાટીલ ગયા મહિને નિયુક્ત થયા બાદ રાજકીય સભા સરઘસ અને રેલીઓ પર પ્રતિબંધ હોવા છતાં રાજ્યભરમાં વીજળીવેગે પ્રવાસ ખેડવાનું ચાલુ કર્યું હતું. તેમણે દક્ષિણ ગુજરાતમાં રેલીઓનું આયોજન કર્યું હતું. જેમાં કોરોનાથી સચેત રહેવાના તમામ નિયમોના લીરેલીરા ઉડ્યા હોવા છતાં રાજ્ય સરકાર મૂક પ્રેક્ષક બનીને તમાશો નિહાળી રહી હતી. રાજ્ય સરકારના આ રવૈયાની આકરી ટીકા થઈ હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મંગળવાર સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બંધબારણે બેઠક કર્યા બાદ એપોલો હોસ્પિટલમાં દાખલ થયા હતા. ગઈકાલે તેમનો એન્ટિજિન રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જે તેમને ટ્વીટ ધ્વારા જાહેર કર્યું હતું. આજે આરટીપીસીઆર ટેસ્ટ રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને કોરોના હોવાનું સ્પષ્ટ થયું હતું. ઉલ્લેખનીય છે કે પાટીલે જ્યા રેલીઓ કરી ત્યા ધારાસભ્ય, મંત્રી, કાર્યકરો કોરોના ગ્રસ્ત થયા હોવાનું બહાર આવવા પામ્યુ હતું. ભાજપના પ્રદેશ હેડક્વાટર કમલમમાં પણ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા, કાર્યાલય મંત્રી ભરત પંડ્યા સહિત અડોધ ડઝનને કોરોના થયો છે.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...