નીનોંગ એરિંગે મોદીને પણ ટ્વીટર પણ જાણ કરી
થોડાક મહિના પહેલાં પણ ચીનના પિપલ્સ લિબરેશન આર્મીના જવાનો ભારતીય નાગરિકોને ઉપાડી ગયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૫
ભારત અને ચીન વચ્ચે હાલ ચાલી રહેલા તનાવ વચ્ચે ચીની લશ્કરે અરૂણાચલ પ્રદેશના પાંચ નાગરિકોનું બળજબરીથી અપહરણ કરી લીધું હોવાની ફરિયાદ કોંગ્રેસના ધારાસભ્ય નીનોંગ એરિંગે કરતાં ખળભળાટ મચી ગયો છે. અરૂણાચલ પ્રદેશના ઉપરવાસના સુબનગિરિ જિલ્લાના પાંચ નાગરિકોને ચીનાઓ ઉપાડી ગયા હોવાનો દાવો કોંગ્રેસી ધારાસભ્યે કર્યો હતો. એરિંગે વડા પ્રધાન કાર્યાલયને ફરિયાદ કરતી ટ્વીટ પણ કરી હતી. એરિંગે એવો દાવો કર્યો હતો કે થોડા મહિના પહેલાં પણ આવી ઘટના બની હતી. ચીનના પિપલ્સ લિબરેશન આર્મીના જવાનો કેટલાક ભારતીય નાગરિકોને ઉપાડી ગયા હતા અને તેમના પર અત્યાચાર ગુજાર્યો હતો.
એરિંગે પોતાની ટ્વીટ સાથે બે સ્ક્રીનશોટ પણ રજૂ કર્યા હતા જેમાં ચીની લશ્કર દ્વારા અપહરણ કરાયેલા પાંચ નાગરિકોનાં નામ હતાં. એરિંગે લખ્યું હતું કે ચીનની સામે કડક પગલાં ભરવાં જોઇએ. છેલ્લા બે ત્રણ મહિનાથી ચીન સતત સરહદો પર તનાવ સર્જી રહ્યું હતું. લદ્દાખ સરહદે પેંગોંગ સરોવર નજીક ચીને ઘુસણખોરી કરવાના પ્રયાસો પણ કર્યા હતા. ભારતીય જવાનો અને ચીની લશ્કરના જવાનો વચ્ચે અથડામણ પણ થઇ હતી. ભારતીય જવાનોએ ચીની જવાનોને હંફાવ્યા હતા અને ભારતીય સરહદમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. ચીને જો કે સરહદ પર ભારે લશ્કરી જમાવડો કર્યો હતો અને જવાનો ઉપરાંત ટેંકો અને તોપો પણ ગોઠવી હતી. ચીન એક તરફ વાટાઘાટોનો દાવો કરતું હતું અને બીજી તરફ સરહદે છમકલાં કરતું હતું.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...