ઓક્સફર્ડની કોરોના વેક્સિનની ટ્રાયલ ફરીથી શરૂ કરવામાં આવી

આ રસી ૨૦૨૦ના અંત સુધીમાં આવી શકે છે
ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકાની કોરોના વેક્સીનના છેલ્લા તબક્કાની ટ્રાયલને યુકેમાં શરૂ : ઓક્સફર્ડના વૈજ્ઞાનિકોએ રસીની સફળતા અંગે ખાતરી આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૩
ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકાની કોરોના વેક્સીનના છેલ્લા તબક્કાની હ્યુમન ટ્રાયલને યુકેમાં ફરીથી શરૂ કરી દેવાઈ છે. એસ્ટ્રાઝેનેકાએ જણાવ્યું હતું કે બ્રિટનની મેડિસીન્સ હેલ્થ રેગ્યુલેટરી ઓથોરિટીએ સમગ્ર મામલાની તપાસ કર્યા બાદ વેક્સીન સલામત હોવાનું સામે આવ્યું છે. જે બાદ તેના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપવામાં આવી છે. વોલયન્ટિયર પર ગંભીર અસર દેખાતા વેક્સીનની ટ્રાયલ અટકાવી દેવામાં આવી હતી. એસ્ટ્રાઝેનેકાના સીઇઓ પાસ્કલ સૉરિયટને વેક્સીન ટૂંક સમયમાં જ ઉપલબ્ધ થશે તેવી અપેક્ષા છે. તેમનું કહેવું છે કે આ રસી આ વર્ષના અંતમાં અથવા આવતા વર્ષના પ્રારંભમાં આવી શકે છે. સૉરિયટે કહ્યું કે આ રસીના ટ્રાયલ પર આખું વિશ્વ નજર રાખી રહ્યું છે, તેથી તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. તેઓએ આશા વ્યક્ત કરી છે કે વર્ષના અંત સુધીમાં રેગ્યુલેટરી અપ્રુવલ માટે ડેટા મેળવી શકાશે. રસીની ટ્રાયલના ત્રીજા તબક્કા દરમિયાન એક વોલન્ટિયરમાં ટ્રાંસવર્સ મેલિટીસની સ્થિતિ વિકસિત થઈ ગઈ હતી. જેથી કરોડરજ્જુમાં સોજો આવે છે જે ચેપને કારણે થઈ શકે છે. વિશ્વભરમાં આ ટ્રાયલમાં ૫૦ હજારથી વધુ લોકોએ ભાગ લીધો છે. હાલમાં જે રસી ચાલી રહી છે તે ટ્રાયલ પસાર કર્યા પછી, સલામતી અને અસરના ડેટાને મંજૂરી મેળવવા માટે કાર્ય કરવામાં આવશે. આ વેક્સીન વાયરલ વેક્ટર પર આધારિત છે. ટીમે એસએઆરએસ-સીઓવી-૨ના સ્પાઈક પ્રોટીન (જેની સાથે કોરોના વાયરસ સેલને ચેપ લગાવે છે)ને નબળા ટ્ઠઙ્ઘીર્હદૃૈિેજ (સામાન્ય શરદી પેદા કરનાર વાયરસ)માં ટ્રાન્સફર કર્યો હતો. જ્યારે આ એડેનોવાયરસ મનુષ્યમાં ઇન્જેક્ટ કરવામાં આવ્યો ત્યારે, રોગપ્રતિકારક શક્તિએ પ્રોટીનને ઓળખીને પ્રતિક્રિયા આપી. પ્રથમ બે ક્લિનિકલ ટ્રાયલનાં પરિણામો એન્ટિબોડીઝ અને ટી-સેલ ઉત્પન્ન જોવા મળ્યા અને નાના-મોટા સાઈડ ઈફેક્ટ્‌સ પણ જોવા મળ્યા છે. ઓક્સફોર્ડ વૈજ્ઞાનિકો માત્ર રસી ઝ્રરછર્ઙ્ઘંટ૧ હર્ઝ્રફ-૧૯ની સંપૂર્ણ સફળતા અંગે ખાતરી આપી છે. એટલું જ નહીં, તેમણે ૮૦% સુધી વિશ્વાસ પણ છે કે રસી સપ્ટેમ્બર સુધીમાં મળી જશે. ઓક્સફર્ડ રસી એસ્ટ્રાઝેનેકા દ્વારા બનાવવામાં આવશે. આ રસી ઝ્રરછર્ઙ્ઘંટ૧ વાયરસથી બનેલી છે, જે સામાન્ય શરદી પેદા કરતા વાયરસનું નબળું સ્વરૂપ છે. તેને જેનેટિકલી બદલી દેવાઈ છે જેથી લોકોમાં ઈન્ફેક્શન ફેલાતું નથી. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા તરફથી કોરોના વાયરસ સામે વિકસિત રસી એઝેડ૧૨૨૨ની ટ્રાયલ ભારતમાં ફરી શરૂ થઈ શકે છે. વેક્સીન પ્રોજક્શન માટે એસ્ટ્રાઝેનેકાની ભાગીદાર ભારતીય કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા મંજૂરી મળતાં જ તેની ટ્રાયલ ફરીથી શરૂ કરવામાં આવશે. ખરેખર, એઝેડ૧૨૨૨ના ટ્રાયલ બાદ એક વોલન્ટિયરમાં ટ્રાંસવર્સ મેલિટીસની સ્થિતિ વિકસિત થઈ ગઈ હતી. જેના કારણે તેની ટ્રાયલ રોકી દેવામાં આવી હતી. જોકે, હવે તેની ટ્રાયલ ફરીથી શરૂ કરી દેવામાં આવી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope