મીરા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હોય છે
મીરાએ સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું, ૫ વર્ષ, ૪ આત્મા, ૩ ઘર, ૨ બાળકો અને એક સુંદર પરિવાર
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૦૮
શાહિદ કપૂર અને મીરા રાજપૂતની જોેડી બોલીવૂડની સુંદર જોેડીઓમાંથી એક છે. આ કપલ મંગળવારે પોતાના લગ્નની પાંચમી એનીવર્સરી ઉજવી હતી ત્યારે આ ખાસ દિવસ પર મીરાએ તેના સોશીયલ મીડિયા એકાઉન્ટ પર એક ખાસ પોસ્ટ શેર કરી હતી.મીરાએ આ પોસ્ટમાં લખ્યું, ‘૫ વર્ષ, ૪ આત્મા, ૩ ઘર, ૨ બાળકો અને એક સુંદર પરિવાર. તમારા સિવાય બીજા કોઈની સાથે જીવન વિતાવવાનું વિચારી ન શકું. હું આ દુનિયાની સૌથી નસીબદાર યુવતી છું. આભાર, મારી તાકાત બનવા માટે, મને સાથ આપવા માટે,તમે મને જેમ હસાવો છો તેમ બીજું કોઈ હસાવી ન શકે. પણ હા, બે વાત હંમેશા યાદ રાખજોે. એક કે હંમેશા પત્ની જ સાચી હોય છે. અને પેલા ત્રણ સુવર્ણ શબ્દો – આઈ એમ સોરી ! શાહિદ અને મીરાને મિશા અને ઝેન નામના બે બાળકો છે. શાહિદ કરતા વધુ મીરા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હોય છે અને તેના પરિવારના ફોટો શેર કરતી રહે છે.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...