ગેહલોત ચોથી વખત ગવર્નરને મળ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જયપુર, તા. ૨૯
રાજકીય ખેંચતાણની વચ્ચે રાજ્યપાલ કલરાજ મિશ્રએ વિધાનસભાનું સત્ર ૩૧ જુલાઈથી બોલાવવાની ત્રીજી અરજીને નકારી કાઢી છે. તે પછી મુખ્યમંત્રી અશોક ગેહલોત ચોથી વખત રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. ગવર્નરે શરત મૂકી હતી કે સત્ર બોલાવવા માટે ૨૧ દિવસની નોટિસ આપવી જોઈએ. રાજ્યપાલની મુલાકાત પહેલા વિધાનસભા સત્ર બોલાવવા માટે ગવર્નરનો વાંધો દર્શાવતા પત્ર પર ગેહલોતે કહ્યું કે પ્રેમ પત્ર તો પહેલા જ આવી ગયો છે, હવે એમને મળીને પૂછીશું કે તેઓ શું ઈચ્છે ? ૨૧ દિવસની નોટિસની રાજ્યપાલની શરતને લઈને તેમણે કહ્યું કે ૨૧ દિવસ હોય કે પછી ૩૧ દિવસ, જીત આપણી જ થશે. ૭૦ વર્ષમાં પ્રથમ વખત કોઈ ગવર્નરે આ પ્રકારનો સવાલ કર્યો છે. તમે સમજી શકો છો કે રાજ્ય કઈ તરફ જઈ રહ્યું છે ? રાજભવન જતાં પહેલાં ગેહલોતે કહ્યું હતું કે સરકાર પાડવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે પરંતુ અમે મજબૂત છીએ. જેમણે દગો કર્યો છે તેઓ ઈચ્છે તો પાર્ટીમાં પરત આવી શકે છે અને સોનિયા ગાંધીની માંફી માંગી લે. ગેહલોતે ગોવિંદસિંહ ડોટાસરાના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનું પદ સંભાળવાના કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું છે.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...