મુખ્યમંત્રીના સુરતમાં નિવેદનનો વિવાદ
ભાજપના આઈટીસેલે દ્વારા ટ્રેન્ડ સેટ કરી મુખ્યમંત્રી દ્વારા પ્રજા હિતમાં લેવાયેલા નિર્ણય સરાહના કરવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા) ગાંધીનગર, તા. ૦૯
મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતમાં વધી રહેલા કોરોના કેસ મામલે સુરત મુલાકાતે ગયા હતા. સુરતની તેમની આ મુલાકાત દરમિયાન તેમણે પત્રકાર પરિષદ પણ સંબોધી હતી. આ દરમિયાન એક પત્રકારે કોરોના મહામારીના ભોગ બનનાર દર્દીઓના આંકડા છુપાવવામાં આવી રહ્યા હોવા અંગે પ્રશ્ન પૂછ્યો હતો. પત્રકારે મુખ્યમંત્રીને સુરતમાં કોરોનાના આંકડા છૂપાવવા અંગે સવાલ પૂછતા જવાબમાં મુખ્યમંત્રી ‘મને ખબર નથી’ એવો ઉત્તર આપ્યો હતો. મુખ્યમંત્રીના સ્વાભાવિક જવાબ બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્વટર પર ઈંમને ખબર નથી એવો ટ્રેન્ડ ચાલુ થયો હતો. જેમાં જુદી જુદી ટીપ્પણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આપેલા નિવેદન ’ખબર નથી મને’ મામલે તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા.
હવે આ ટ્રેન્ડ સામે ઈંપાકી ખબર છે મને એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પ્રદેશ ભાજપના આઈટીસેલ દ્વારા ઈંપાકી ખબર છે મને એવો ટ્રેન્ડ સેટ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પ્રજા હિતમાં લેવામાં આવેલા નિર્ણય અને કામગીરીની સરાહના કરવામાં આવી રહી છે. સાથે જ આ હેશ ટેગ સાથે સરકારની વિવિધ ઉપલબ્ધિઓને ગણાવવામાં આવી રહી છે. આ સાથે મુખ્યમંત્રી તરફથી સુરતમાં કોરોનાને પ્રસરતો અટકાવવા માટે સરકાર તરફથી શું નિર્ણયો લેવામાં આવ્યા છે તે પણ જણાવવામાં આવ્યું છે.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...