મંદિર ભૂમિપૂજન માટે કોઈ મુખ્યમમંત્રીને નિમંત્રણ નહીં

મંદિર ભૂમિપૂજન મામલે રાજકારણ ગરમાશે
ઉદ્ધવ ઠાકરે સહિત કેટલાકે સમારોહમાં હાજર રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, માત્ર ૨૦૦ મહેમાનોને આમંત્રણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અયોધ્યા, તા. ૩૦
અયોધ્યામાં ૫ ઓગસ્ટે રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ માટે માત્ર યુપીના સીએમ યોગી આદિત્યનાથને છોડીને બીજા કોઈ સીએમને આમંત્રણ આપવામાં આવ્યું નથી. કાર્યક્રમનુ આયોજન કરી રહેલા રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સૂત્રોના કહેવા પ્રમાણે ૨૦૦ મહેમાનોનુ લિસ્ટ તૈયાર કરાયુ છે, જેમાં યોગીનુ નામ સામેલ છે પણ બીજા કોઈ સીએમને નહીં બોલાવવાનુ નક્કી કરાયુ છે, જેથી આમંત્રિતોની સંખ્યા વધે નહી. જોકે આ મુદ્દે પણ રાજકારણ ગરમાઈ શકે છે.કારણકે મહારાષ્ટ્ર સીએમ ઉધ્ધવ ઠાકરે અગાઉ ભૂમિ પૂજનમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે.એમ પણ શિવસેનાનો રામ મંદિર આંદોલન સાથે વર્ષો જુનો સબંધ રહ્યો છે. બીજી તરફ ૨૦૦ મહેમાનોના લિસ્ટ અંગે ગુપ્તતા વરતવામાં આવી રહી છે.સુરક્ષાના કારણે આમંત્રિતોના નામ જાહેર કરવામાં આવી રહ્યા નથી.આ નામ નક્કી કરવામાં વિશ્વ હિન્દુ પરિષદ , રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, રામ મંદિર ઉચ્ચાધિકાર સમિતિની મહત્વની ભૂમિકા રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે અયોધ્યાના ધારાસભ્ય, સાંસદ, મેયરને બોલાવાશે.જોકે રામ મંદિર સાથે જોડાયેલા ભાજપના ઘણા નેતા બાકાત રહી શકે છે.૧૯૯૧ અને ૧૯૯૨માં ૬ ડિસેમ્બરે માર્યા ગયેલા કેટલાક કારસેવકોના પરિવારને પણ બોલાવવામાં આવશે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope