રાઝદાને યુઝર્સને યોગ્ય જવાબ આપ્યો હતો
મારા પતિ મહેશ ભટ્ટે ઈન્ડસ્ટ્રીમાં બીજા કોઈપણ કરતા નવા આવનારાઓને વધુ તકો આપી છે : સોની રાઝદાન
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૦૯
અભિનેત્રી સોની રાઝદાન નેપોટિઝ્મના મુદ્દાને લઈને પોતાના પતિ મહેશ ભટ્ટનો સોશિયલ મીડિયાના માધ્યમથી બચાવ કરતી જોવા મળી હતી. જેમાં એક યુઝરે નેપોટિઝ્મ પર મહેશ ભટ્ટનો વિરોધ કર્યો હતો. જેના પર મહેશની પત્ની સોની રાઝદાન ગુસ્સે થઈ હતી. તેમજ તેણે યુઝર્સને યોગ્ય જવાબ આપ્યો હતો. સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બોલિવૂડમાં નેપોટિઝ્મના મુદ્દે ઘણી ચર્ચા ચાલી રહી છે. જેમાં ઘણા સેલેબ્રિટી નિશાને આવ્યાં છે. જેમાં એક યુઝરે સોશિયલ મીડિયા પર મહેશ ભટ્ટને નેપોટિઝ્મના વાહક જણાવી વિરોધ કર્યો હતો. જેથી મહેશ ભટ્ટની પત્ની સોની રાઝદાને ઉશ્કેેરાઈને યુઝરને આડે હાથ લીધો હતો. સોનીએ અપૂર્વ અસરાની તથા મનોજ વાજપેઈની ટ્વીટ પર જવાબ આપ્યો હતો. સોનીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, અપૂર્વ મને સૌથી વધુ પરેશાન કરતી વસ્તુ હતાશા અને માનસિક બિમારી જેવા મુદ્દા છે. મુદ્દો એ છે કે, કોઈ વ્યકિતને હતાશ થવા માટે કોઈ કારણની જરૂર હોતી નથી. સોનીના આ ટ્વીટ પર એક યુઝર્સ લખ્યું કે, ‘અસલ મુદ્દો નેપોટિઝ્મનો છે અને તમારો કહેવાતો પતિ આનો વાહક છે. આ કોમેન્ટ પર સોનીએ લખ્યું કે, તમારી જાણકારી ખોટી છે. મારા પતિએ ઈન્ડસ્ટ્રીમાં બીજા કોઈપણ કરતા નવા આવનારાઓને વધુ તકો આપી છે. મોટા સ્ટાર્સ સાથે કામ કરવાનો ઈન્કાર કરી દીધો, ત્યારબાદ મહેશ ભટ્ટને દોષી ઠેરવવામાં આવ્યો કે, તેઓ નવા સ્ટાર્સ સાથે કામ નહીં કરતા. તો કૃપા કરીને પહેલા તમારું ગૃહકાર્ય યોગ્ય રીતે કરો અને પછી વાત કરો.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...