તેંડુલકરે મુંબઈમાં પ્લાઝમા થેરપી યુનિટનું ઉદ્ઘાટન કર્યું

લોકોને પ્લાઝ્મા ડોનટ માટે અપીલ કરી

આ થેરપી એકદમ પ્રૅક્ટિકલ હોય તેવા દર્દીઓની સારવાર કરવા શરૂ થઇ છે જે માટે બીએમસીને શુભેચ્છા આપું છું
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૧૦
મુંબઈના અંધેરીમાં આવેલી સેવન હિલ્સ હૉસ્પિટલમાં સચિન તેંડુલકરે ગઈકાલે કોવિડ-૧૯ પ્લાઝમા થેરપી યુનિટનું ઉદ્ઘાટન કર્યું હતું. કોરોનાના દરદીઓના ઈલાજ માટે મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા આ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. આ યુનિટ વિશે વાત કરતાં સચિને કહ્યું કે ‘આપણે કોરોના નામની બીમારીનો સામનો કરી રહ્યા છીએ. આ સમયે દર્દીઓને મદદ કરવા આપણા ડૉક્ટર, નર્સ, પૅરામેડિકલ સ્ટાફ, પોલીસ, સુધરાઈ અને સરકારી-કર્મચારીઓ સતત કામ કરી રહ્યા છે. વિશ્વ સ્તરે સંશોધકો આ બીમારીની દવા શોધી રહ્યા છે. આ પ્લાઝમા થેરપી એકદમ પ્રૅક્ટિકલ હોય તેવા દર્દીઓની સારવાર કરવા માટે શરૂ કરવામાં આવી છે જે માટે હું બીએમસીને અભિનંદન આપું છું. જે લોકો કોરોનામાંથી સંપૂર્ણપણે રિકવર થઈ ગયા છે હું તેમને વિનંતી કરું છું કે તેઓ આગળ આવે અને પ્લાઝમા થેરપી માટે પોતાનું બ્લડ ડોનેટ કરે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope