કોરોના કહેર અંગે ચિંતા વ્યક્ત કરી
કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ટેસ્ટિંગમાં નોંધપાત્ર વધારાનો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવો કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૩૦
કોરોના વધતા કહેર મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ અહેમદ પટેલે ઁપીએમ મોદીને પત્ર લખ્યો. જેમાં તેમણે ગુજરાતમાં ટેસ્ટિંગ વધારવાની રજુઆત કરી. પત્રમાં તેમણે તમામ જિલ્લા મથકો પર ટેસ્ટિંગ સેન્ટર ઊભા કરવા રજુઆત કરી. અહેમદ પટેલના પીએમ મોદીના પત્ર અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે, જેમ જેમ સુવિધા વચ્ચે જરૂર જણાય ત્યારે સેમ્પલ વધારવામાં આવે છે. સેમ્પલ લેવાની સંખ્યા પર કોઈ નિયંત્રણ કે મર્યાદા નથી ભારત સરકારની ગાઈડ લાઈન પ્રમાણે જ કામગીરી કરવામાં આવી રહી છે.
પત્રમાં અહેમદ પટેલે જણાવ્યું છે કે, સમગ્ર ગુજરાતમાં કોવિડ હોસ્પિટલમાં સાચા પ્રોટોકોલ સાથે સારવાર થાય તે જરૂરી છે. આ સાથે જ તેમણે ઉલ્લેખ કર્યો છે કે દવા અને ઈન્જેક્શનના કાળા બજાર પર રોક લગાવવી જરૂરી છે. કારણ કે ગરીબ માણસોને ઊંચી કિંમતે દવાઓ અને ઈન્જેક્શન ખરીદવાની ફરજ પડી રહી છે. તેમણે કહ્યું કે ભરૂચ સહિત ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમણને મામલે ભારત સરકાર તાત્કાલિક કેન્દ્રની ટીમો મોકલે.
કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલ દ્વારા ગુજરાતમાં ટેસ્ટિંગ વધારવા માટે પત્ર લખવામાં આવ્યો છે તેના પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે શરૂઆતમાં ગુજરાતમાં ૪૦૦૦-૫૦૦૦ જેટલા સેમ્પલ લેતા હતા. ભારત સરકાર સાથેની સંકલનની પદ્ધતિ દ્વારા ગુજરાતમાં હવે મોટા પ્રમાણમાં સેમ્પલ લેવામાં આવે છે હવે આંકડો મોટો થઈ ગયો છે ૨૩ હજાર જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમ જેમ સુવિધા વચ્ચે જરૂર જણાય ત્યારે સેમ્પલ વધારવામાં આવે છે. સેમ્પલ લેવાની સંખ્યા પર કોઈ નિયંત્રણ કે મર્યાદા નથી ભારત સરકારની ગાઈડ લાઈન પ્રમાણે જ કામગીરી કરવામાં આવી રહી છે.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...