બીએસપી સુપ્રીમો માયાવતીની તપાસની માગણી
ઉત્તરપ્રદેશમાં હજુ પણ જાતિવાદ : મહિલાના શબને અન્ય સ્થળે અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
લખનૌ, તા. ૨૮
ઉત્તર પ્રદેશના આગ્રામાં દલિત મહિલાના અંતિમ સંસ્કારને અટકાવવાના મામલે બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરી છે. માયાવતીએ આક્ષેપ કરતાં જણાવ્યું કે આગરામાં એક ઉચ્ચ જાતિના સ્મશાનમાં દલિત મહિલાના મૃતદેહને મૃત્યુશૈયા પરથી ઉતારીને તેની અંતિમવિધિ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બસપા પ્રમુખે ટ્વીટ કરીને જણાવ્યું કે, આગરા નજીક દલિત મહિલાના મૃતદેહને કેટલાક ઉચ્ચ જાતિના લોકોએ મૃત્યુશૈયા પરથી ખસેડી અંતિમક્રિયા અન્ય સ્થળે કરવા જણાવ્યું હતું. આ સ્મશાન ઉચ્ચ જાતિના લોકોનું હોવાનું જણાવી આવું વર્તન કરાયું હતું. આ શરમજનક અને ધિક્કારને પાત્ર ઘટના છે. આવી જાતિવાદને ઉશ્કેરતી ઘટનાની ઉચ્ચ સ્તરે તપાસ થવી જોઈએ તેમ માયાવતીએ જણાવ્યું હતું.
ઉત્તર પ્રદેશ સરકારને ટાંકીને પૂર્વ સીએમ માયાવતીએ જણાવ્યું કે આવા ઘૃણાસ્પદ બનાવ બદલ દોષિતોને કડક સજા કરવી જોઈએ જેથી ફરી આવી ઘટનાઓ ઘટતી રોકી શકાય. માયાવતીએ વધુમાં મધ્ય પ્રદેશના દલિત ડોક્ટર જેમનું દિલ્હીમાં કોરોના વાયરસથી મૃત્યુ થયું તેમના પરિવારજનોને આર્થિક મદદ કરવા પણ માંગ કરી હતી. તેમણે જણાવ્યું કે દિલ્હી સરકારે જાતિવાદી માનસિકતાને છોડીને દિલ્હીમાં સેવારત તબીબના મૃત્યુને પગલે તેના પરિવારને તમામ મદદ કરવી જોઈએ.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...