રાજ્યમાં કોરોના પોઝિટિવના ૪૧૫ નવા કેસ : ૨૯નાં મૃત્યુ

મહામારીનો પ્રકોપ ઓછો થતો જ નથી

કોરોના સંક્રમિતનો આંકડો ૧૭૬૩૨૫૨ અને મૃત્યુઆંક ૧૦૯૨ થયો : અમદાવાદમાં ૨૪ કલાકમાં ૨૮૯ કેસ

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨
રાજ્યમાં સતત ચોથા દિવસે કોરોનાથી સંક્રમીત થયેલા દર્દીઓની સંખઅયા ચારસોનો આંક વટાવી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોના પોઝીટીવના ૪૧૫ દર્દીઓ ઉમેરાતા અત્યાર સુધીનો કુલ આંકડો ૧૭૬૩૨ પર પહોંચ્યો છે. આજે રાજ્યમાં અમદાવાદના ૨૪ સહિત ૨૯ જણાના મોત નીપજ્યા છે. આ સાથે મૃત્યુઆંક ૧૦૯૨ પહોંચ્યો છે. આજે કોરોનાથી સાજા થનારા દર્દીઓનો આંકડો વધીને ૧૧૧૪ નોંધાયા છે. વેન્ટીલેટર પર ૬૨ વ્યક્તિઓ છે. ગુજરાતમાં આજે ૪૧૫ નવા કોરોના પોઝિટીવ દર્દી ઉમેરાતા કોરોનાથી સંક્રમીત થવાનો કુલ આંકડો ૧૭૬૩૨ પર પહોંચ્યો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં ૨૯ વ્યક્તિઓના કોરોનાને લીધે અવસાન થયું છે. જેમાં અમદાવાદમાં ૨૪, અરવલ્લીમાં ૨, અને સુરત, મહેસાણા અને જુનાગઢ ખાતે ૧ વ્યક્તિોના મોત નીપજ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ૧૦૯૨ કુલ મૃત્યુ નોંધાયા છે. જેમાં આજે અમદાવાદમાં ૨૭૯ નવા કોરોના પોઝીટીવ ઉમેરાતા કોરોનાથી સંક્રમીત થયેલા દર્દીઓનો આંકડો ૧૨૭૭૩ થયો છે. કોરોનાને લીધે વધુ ૨૪ લોકોના અમદાવાદમાં મોત થતા મોતનો કુલ આંકડો ૮૮૮ થયો છે. આ સાથે આજે અમદાવાદમાં ૧૦૧૯ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. રાજ્યમાં હાલની સ્થિતિમાં ૪૬૪૬ વ્યક્તિઓ પોઝિટીવ છે. જેમાં ૬૨ વેન્ટીલેટર પર, ૪૫૮૪ સ્ટેબલ છે. રાજ્યમાં ૪૧૫ નવા કેસમાં અમદાવાદમાં ૨૭૯, સુરતમાં ૫૮, વડોદરામાં ૩૨, ગાંધીનગરમાં ૧૫, મહેસાણામાં ૫, ભાવનગરમાં ૪, ભરૂચ અને દાહોદમાં ૪, ખેડામાં ૩, પંચમહાલ, કચ્છ, સુરેન્દ્રનગરમાં ૨, બનાસકાંઠા, પાટણ, નર્મદા વલસાડ અને નવસારીમાં ૧ સાથે ૪૧૫ નવા દર્દી ઉમેરાયા. આજે રાજ્યમાં ૨૯ વ્યક્તિઓના કોરોનાના કારણે મૃત્યુ થયા જેમાં અમદાવાદમાં ૨૪, અરવલ્લીમાં ૨ અને સુરત, મહેસાણા અને જુનાગઢમાં ૧-૧ના મોત થયા છે. આરોગ્ય વિભાગની યાદી મુજબ રાજ્યમાં એક્ટીવ દર્દીની સંખ્યા ઘટી રહી છે. ૧૮ મેના રોજ પોઝિટીવ દર્દીની સામે એક્ટીવ દર્દીની સંખ્યાનો દર ૫૩.૧૯ ટકા હતો. જે ઘટીને ૨૬.૩૫ ટકા થયો છે. રાજ્યમાં આજે ૨૩૫૦૧૭ વ્યક્તિઓ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી ૨૨૭૬૬૬ વ્યક્તિઓ હોમ ક્વોરોન્ટાઈન છે અને ૭૩૭૫ ફેસીલીટી ક્વોરોન્ટાઈન છે. કોરોનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે અને સંક્રમિતોનો આંકડો બે લાખને પાર કરી ગયો છે ત્યારે હજુ પણ આ વાયરસને કઇ રીતે નિયંત્રિત કરવો તેને લઇને તમામ પક્ષો ચિંતામાં છે.
ગુજરાતમાં કોરોના કેસો
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૨
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૪૧૫ કેસ સપાટી પર આવ્યા હતા.
શહેર કેસ
અમદાવાદ ૨૭૯
સુરત ૫૮
વડોદરા ૩૨
ગાંધીનગર ૧૫
મહેસાણા ૫
ભાવનગર ૪
ભરૂચ ૪
દાહોદ ૪
ખેડા ૩
પંચમહાલ ૨
કચ્છ ૨
સુરેન્દ્રનગર ૨
બનાસકાંઠા ૧
પાટણ ૧
નર્મદા ૧
વલસાડ ૧
નવસારી ૧
કુલ ૪૧૫

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope