સંક્રમિત ખાંસી રહ્યો હોય તો માસ્ક અર્થહિન
(સંપૂર્ણ સમાચાર સેવા)
લંડન, તા. ૧૭
કોરોના વાયરસથી બચવા માટે સમગ્ર દુનિયામાં માસ્ક અને ફેસશીલ્ડ પહેરવા પર ભાર આપવામાં આવી રહ્યું છે. જોકે, હાલમાં જ એક સંશોધનમાં એવી ચેતવણી આપી છે કે, માસ્ક અને ૩ ફૂટનું અંતર રાખ્યા બાદ પણ કોરોના વાયરસ શરીરમાં પ્રવેશી શકે છે. શોધકર્તાઓએ જણાવ્યું છે કે, જો કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિ સતત ખાંસી રહ્યો છે તો માસ્ક પહેરવાનો કોઈ અર્થ રહેતો નથી. સાઈપ્રસની યુનિવર્સિટી ઓફ નિકોસિયાના વૈજ્ઞાનિકોએ માસ્ક પહેર્યા બાદ પણ ૬ ફૂટનું અંતર રાખવાની અપીલ કરી છે. વૈજ્ઞાનિકોનું આ સંશોધન એવા સમયે સામે આવ્યું છે જ્યારે દુનિયભારના ધંધાઉદ્યોગો સરકારોને અપીલ કરી રહ્યા છે કે તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગમાં છૂટછાટ આપે. શોધકર્તા દિમિત્રિસ ડિકાકિસે જણાવ્યું છે કે, માત્ર માસ્ક પહેરવાથી કોરોનાને રોકી શકાય નહીં. કેટલાક ડ્રાપલેટ માસ્ક શીલ્ડની અંદર ઘૂસવામાં સક્ષમ હોય છે. એટલુ જ નહીં કોરોનગ્રસ્ત દર્દીના ડ્રાપલેટ ૪ ફૂટ સુધી જઈ શકે છે. ડ્રોપલેટ નાકમાંથી નીકળતું પ્રવાહી છે.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...