મહામારીના વધતા કેસથી ચિંતા
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૨૯
મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા દર્દીઓની સંખ્યાને લઈ રાજ્ય સરકારે સોમવારે લોકડાઉનની મુદત તા.૩૧મી જુલાઈ સુધી વધારી દીધી છે. મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ રવિવારે જ તેના અણસાર આપી દીધા હતા. તેમણે કહ્યું હતુ કે લોકડાઉનમાં ધીમે ધીમે છુટછાટ અપાતી જશે. મહારાષ્ટ્ર કોવિડ-૧૯ મહામારીથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. રાજ્યના મુખ્ય સચિવ અજય મેહતાએ લોકડાઉનને વધારવાનો હુકમ જારી કર્યો છે. જેમાં જણાવાયું છે કે રાજ્યમાં કોરોના વાયરસનું સંકટ હજુ પણ યથાવત સ્થિતિમાં છે, એથી સંક્રમણને રોકવા જ જરૂરી ઉપાય તરીકે આ પગલું લેવાઈ રહ્યું છે. મહામારી એક્ટ મુજબ સમગ્ર મહારાષ્ટ્રમાં આગામી ૩૧મી જુલાઈની મધરાત સુધી લોકડાઉનને લંબાવવાનું ફરમાન જારી કરાયું છે. આ હુકમમાં વધુમાં જણાવાયું છે કે સ્થાનિક પરિસ્થિતિઓ મુજબ સંબંધિત જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર જરૂરી પ્રતિબંધ લાગુ કરી શકે છે. તેના અંતર્ગત વાયરસને ફેલાતો અટકાવવા માટે લોકોની અવરજવર તેમજ અન્ય બિનજરૂરી ગતિવિધિઓ પર પ્રતિબંધ લાગુ કરી શકાશે. લોકડાઉન દરમિયાન અગાઉની જેમ જ દૂધ, શાકભાજી અને દવાની દુકાનો ખુલ્લી રહી શકશે. જ્યારે અન્ય દુકાનોને ઓડ-ઈવનના નિયમ મુજબ જ ખોલવામાં આવશે. તેની સાથે ઓફિસોમાં મર્યાદિત સ્ટાફ સાથે કામકાજ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...