અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના વિલે પાર્લે ખાતે અંતિમ સંસ્કાર

સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આત્મહત્યાની પુષ્ટિ થઇ

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના પિતા, પિતરાઇ ભાઇ અને ત્રણેય બહેનો ઉપસ્થિત રહ્યા હતાઃ બોલિવૂડની અનેક હસ્તીઓએ સુશાંતને શ્રદ્ધાંજલિ આપી

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઇ, તા.15
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને આજે મુંબઈમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી. વિલે પાર્લેના સેવા સમાજ ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સુશાંતના પિતા, પિતરાઇ ભાઇ અને ત્રણ બહેનો હાજર હતા. અનેક હસ્તીઓએ સુશાંતને શ્રદ્ધાંજલિ આપી હતી. સુશાંતના અંતિમ સંસ્કારમાં રાજકુમાર રાવ, ક્રિસ્ટલ ડિસોઝા, વિવેક ઓબેરોય, પૂજા ચોપડા, શ્રદ્ધા કપૂર અને રણદીપ હૂડા હાજર રહ્યા હતા. આ સિવાય સંજય નિરૂપમ, ઉદિત નારાયણ, વરૂણ શર્મા, તાહિર રાજ ભસીન, તુષાર પાંડે, પ્રિતિક બબ્બર, કૃતિ સેનન પણ અંતિમ સંસ્કારમાં હાજર હતા. સુશાંતસિંહ રાજપૂતે રવિવારે તેના ઘરે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સુશાંતની પુષ્ટિ થઈ હતી. ડોકટરોએ તેના મહત્વપૂર્ણ અંગોને વધુ તપાસ માટે જેજે હોસ્પિટલમાં મોકલ્યા છે, જ્યાં શરીરમાં કોઈ દવાઓ અથવા ઝેરની હાજરી શોધી કાઢવામાં આવશે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને આજે મુંબઈમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી. વિલે પાર્લેના સેવા સમાજ ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સુશાંતના પિતા, પિતરાઇ ભાઇ અને ત્રણ બહેનો હાજર હતા. પવન હંસ ઘાટ પર અંતિમ સંસ્કારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સુશાંતસિંહ રાજપૂતનો ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. હાલ મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે. સુશાંતના ચાહકો મોટી સંખ્યામાં તેમના પ્રિય સ્ટારના અંતિમ દર્શન માટે ઉમટ્યા છે. સુશાંતસિંહ રાજપૂતનો મૃતદેહ પવન હંસ ઘાટ પહોંચ્યો છે. અંતિમ સંસ્કાર થોડી વારમાં કરવામાં આવશે. સુશાંતનો પરિવાર સુશાંતના ઘરે બાંદ્રા પહોંચ્યો છે. સુશાંતના પિતા સુશાંતના ઘરે હાજર છે. સુશાંતનો મૃતદેહ કૂપર હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. થોડા સમય પછી, પરિવાર મૃતદેહને લેવા હોસ્પિટલ છોડશે. પવન હંસ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત, જેને પંચક પૂજા કહેવામાં આવે છે તેના અંતિમ સંસ્કાર પૂર્વે જ એક વિશેષ પૂજા કરવામાં આવશે. ગરુડ પુરાણ અનુસાર, જો કોઈનું પંચગળમાં મૃત્યુ થાય છે, તો આ આફત તેની સાથે તેના પરિવારના પાંચ લોકો પર આવે છે. સુશાંતના પરિવારની નજીકના જ્યોતિષવિદ્યાને પરિવારને કહ્યું છે કે સુશાંત સિંહનું પંચક વિચારમાં અવસાન થયું હતું. અષારટ્ઠઙ્ઘ મહિનાનો પંચક ૧૧ જૂનથી પ્રારંભ થયો છે અને ૧૬ જૂન સુધી ચાલશે. પંચકનાં પાંચ પ્રકાર છેઃ રોગ પંચક, રાજ પંચક, અગ્નિ પંચક, મૃત્યુ પંચક અને ચોર પંચક. બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં મુંબઈ પોલીસ ટૂંક સમયમાં તેની પ્રેમિકા રિયા ચક્રવર્તીની પૂછપરછ કરશે. મુંબઈ પોલીસ સાથે સંકળાયેલા સૂત્રોએ આ માહિતી આપી હતી. સુશાંતે બપોરે ૩ વાગ્યે તેના મિત્ર મહેશ શેટ્ટીને છેલ્લો ક ષ્ઠટ્ઠઙ્મઙ્મલ કર્યો હતો પરંતુ તેણે કોલ ઉપાડ્યો નહોતો. સુશાંતના મેનેજર સુશાંતના ફોનનો પાસવર્ડ જાણતા હતા. ફોન ખોલ્યો ત્યારે છેલ્લો ફોન બપોરે ૩ વાગ્યે મળ્યો હતો. પોલીસ મહેશ શેટ્ટીની પૂછપરછ પણ કરી શકે છે. સુશાંતની બહેને જણાવ્યું કે સુશાંત ૫ મહિનાથી ડિપ્રેશનની સારવાર હેઠળ હતો. ૫ દિવસ પહેલા ફોન પર વાત કરી હતી. સુશાંતે કહ્યું હતું કે તેમની તબિયત સારી નથી. “આ પછી સુશાંતની બહેન બાંદ્રાના ઘરે આવી અને ૨ દિવસ રોકાઈ. સુશાંતે ડિપ્રેસનની દવા લેવાનું બંધ કરી દીધું હતું. મિત્ર અને કૂકે કહ્યું કે સુશાંતનું વર્તન અસામાન્ય હતું. સુશાંત ખૂબ હતાશામાં હતો. સુશાંતના મેનેજર સુશાંતના ફોનનો પાસવર્ડ જાણતા હતા. ફોન ખુલે ત્યારે છેલ્લો ક ષ્ઠટ્ઠઙ્મઙ્મલ બપોરે ૩ વાગ્યે છે. સુશાંતે તેના મિત્ર મહેશ શેટ્ટીને ફોન કર્યો હતો, પરંતુ તેણે કોલ લીધો નહીં. સુશાંતસિંહ રાજપૂતના પિતા અને તેના પિતરાઇ ભાઇ નીરજકુમાર બબલુ અને પરિવારના અન્ય સભ્યો પટનાથી મુંબઇ પહોંચ્યા છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મોડી રાત્રે આવ્યો, જેણે આપઘાતની પુષ્ટિ કરી. ડોકટરોએ તેના મહત્વપૂર્ણ અંગોને વધુ તપાસ માટે મુંબઇની જેજે હોસ્પિટલમાં મોકલી દીધા છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની અંતિમ વિધી સોમવારે પરા હંસ સ્મશાન ઘાટ ખાતે પરા વિલે પાર્લેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અભિનેતાના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેમના પિતા પટનાથી મુંબઇ પહોંચ્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર, મુંબઇ પોલીસે સુશાંતના બેંક ખાતાથી સંબંધિત દસ્તાવેજોની તપાસ કરી છે, પરંતુ એવું કશું મળ્યું નથી જેનાથી શંકાને અવકાશ રહે. પ્રારંભિક પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં એવું કંઈપણ મળ્યું નથી કે જે સૂચવી શકે કે તે કોઈ દવા લેતો હતો. પોલીસ તપાસ તેના સંબંધો અને તેના પરિવાર પર નિર્ભર છે. એવું પણ બહાર આવ્યું છે કે સુશાંતે તાજેતરમાં તેના પિતા સાથે વાત કરી હતી, જેમાં તેણે નવેમ્બરમાં લગ્ન કરવાનું કહ્યું હતું. સુશાંતના નજીકના મિત્રોએ પોલીસને જણાવ્યું છે કે, તે જે છોકરી સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે તેની સાથે કંઇ સારું ચાલતું નથી. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતા અને અન્ય સંબંધીઓ મુંબઇ રવાના થયા છે. સુશાંતનો કઝીન, ભાજપના ધારાસભ્ય નીરજ બબલુ પણ પરિવાર સાથે મુંબઇ આવી રહ્યા છે. તેમણે કહ્યું, “અમે મુંબઇ જવા રવાના છીએ. સુશાંતની અંતિમ વિધિ ત્યાં થશે. અમને હજી ખાતરી નથી થઈ કે તે હવે આ દુનિયામાં નથી. જરૂર પડે તો અમે તપાસની માંગ કરીશું.” અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભાભી ઓ.પી.સિંઘ, જેઓ પોલીસના વધારાના ડાયરેક્ટર જનરલ છે અને હરિયાણાના મુખ્યમંત્રી કાર્યાલયમાં વિશેષ અધિકારી તરીકે નિયુક્ત છે, આ ગુનામાં કેટલીક ખલેલ થવાની શંકા છે. તેમણે આ ઘટનાની સઘન તપાસની માંગ કરી છે. અભિનેતા સુશાંત સિંહના મોતની તસવીરો સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્ર પોલીસના સાયબર સેલે વાંધો ઉઠાવ્યો છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી માટે ચેતવણી જારી કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આવી તસવીરો કાનૂની નિયમો અને કોર્ટની સૂચના વિરુદ્ધ છે. સુશાંતના પિતરાઇ ભાઇ ધારાસભ્ય નીરજ બબલુએ આજે સવારે જણાવ્યું હતું કે તેમનો પરિવાર સવારે ૧૧ઃ૩૦ વાગ્યે ફ્લાઇટથી સુશાંતના પિતા સાથે મુંબઇ જઈ રહ્યો છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope