સુપ્રીમ કોર્ટે સામાજિક કલ્યાણ સાથે જાડાયેલી જુદી જુદી યોજનાઓના લાભ લેવા માટે આધાર કાર્ડને ફરજિયાત કરનાર સરકારી અધિસૂચના ઉપર વચગાળાના આદેશને આપવાનો ઇન્કાર કરી દીધો છે. જા કે, કોર્ટે રાહત આપતા કહ્યું છે કે, જે લોકોની પાસે હાલમાં આધાર કાર્ડ નથી તેમને સરકારી યોજનાઓથી વંચિત કરી શકાય નહીં.
કોર્ટે પોતાના ૯મી જૂનના ચુકાદાનો હવાલો આપતા કહ્યું છે કે, આ મામલામાં આનાથી વધારે મૂલ્યાંકન કરવાની જરૂર નથી. અવધિ વધારી દેવામાં આવી છે. સરકારી યોજનાઓ માટે હવે ઓક્ટોબરથી આધાર કાર્ડ જરૂરી રહેશે. કોર્ટે આ મામલામાં આગામી સુનાવણીની તારીખ ૭મી જુલાઈ નક્કી કરી છે. બીજી બાજુ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે, જે લોકોની પાસે હજુ આધાર કાર્ડ નથી તેમને ૩૦મી સપ્ટેમ્બર સુધી સામાજિક કલ્યાણ યોજનાઓનો લાભ લેવા માટે કહેવામાં આવ્યું છે.
આ અગાઉ સરકારે ૩૦મી જૂનની સમય મર્યાદા નક્કી કરી હતી. તેના કહેવા મુજબ ૩૦મી જૂન બાદ સામાજિક કલ્યાણ યોજનાઓનો લાભ લેવા માટે આધાર ફરજિયાત કરવાની વાત હતી પરંતુ હવે તેની અવધિ બીજા ત્રણ મહિના વધારી દેવામાં આવી છે. આનો મતલબ એ થયો કે સરકારી યોજનાઓનો લાભ લેવા માટે હવે લોકોને આધાર કાર્ડ બનાવવા માટે બીજા ત્રણ મહિનાની મહેતલ મળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે અગાઉ ૯મી જૂનના દિવસે અતિમહત્વપૂર્ણ તારણ આપ્યું હતું.
સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, જે લોકોની પાસે આધાર કાર્ડ નથી તે લોકો પેન કાર્ડની સાથે આઈટી રિટર્ન દાખલ કરી શકે છે. કોર્ટે આની સાથે સાથે એમ પણ કહ્યું હતુ ંકે, જે લોકોની પાસે આધાર કાર્ડ છે તે લોકોને પેન સાથે આધારને લિંક કરવાની બાબત કરવાની રહેશે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, જે લોકો પાસે આધાર કાર્ડ નથી તે લોકોને આ બાબત માટે ફરજ પાડી શકાય નહીં કે, પેન સાથે આધારને લિંક કરવામાં આવે.
કોર્ટે સાથે સાથે ઇન્કમટેક્સની કલમ ૧૩૯ (એએ)ને યોગ્ય ઠેરવી હતી પરંતુ સાથે સાથે કોર્ટે એમ પણ કહ્યું હતું કે જે લોકોની પાસે આધાર કાર્ડ નથી તે લોકો પેનને સરકાર ફગાવી શકે નહીં. સુપ્રીમ કોર્ટે આ મામલામાં દાખલ કરવામાં આવેલી અરજી ઉપર અગાઉ ચુકાદો અનામત રાખ્યો હતો. પેન કાર્ડ માટે આધારને ફરજિયાત કરવાના ચુકાદાની સામે દાખલ કરવામાં આવેલી અનેક અરજીઓ પર તર્કદાર દલીલો કરવામાં આવી હતી.
અરજીદારોએ એવી દલીલ કરી હતી કે, સુપ્રીમ કોર્ટે પોતાના આદેશના આધારને સ્વૈચ્છિક રાખવા માટે કહ્યું હતું પરંતુ સરકાર આ આદેશને ઓછા કરવામાં લાગેલી છે. અરજીદારોએ એવી દલીલ પણ કરી હતી કે, સુપ્રીમ કોર્ટના આદેશની પવિત્રતાને જાળવવાની જરૂર છે. સરકાર તેને કોઇપણરીતે નજરઅંદાજ કરી શકે નહીં. જા આવું કરવામાં નહીં આવે તો એક ખોટી પરંપરા શરૂ થઇ જશે.