(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા.૨૨
વિદ્યા બાલને કહાની માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતી લીધો છે. હવે સુજોય ઘોષ કહાની-૨ ફિલ્મ બનાવવાની પણ તૈયારી કરી રહ્યા છે. મળેલી માહિતી મુજબ વિદ્યા બાલન પણ ફિલ્મમાં કામ કરવા માટે ઉત્સુક દેખાઈ રહી છે. જો કે પટકથા તરફ વિદ્યા બાલને હજુ ધ્યાન આપ્યું નથી. કહાની ફિલ્મને બોક્સ ઓફિસ ઉપર સફળતા મળી ન હતી પરંતુ વિદ્યા બાલનની ભૂમિકાની ભારે પ્રશંસા થઈ હતી. પ્રતિષ્ઠિત ફિલ્મ ફેર એવોર્ડમાં રવિવારે વિદ્યા બાલને એવોર્ડ જીતી ગયા બાદ કહ્યું હતું કે સુજોય નવી ફિલ્મ બનાવવાની પણ યોજના ધરાવે છે. કહાની ફિલ્મની પટકથા શરૃ થઈ ત્યારે માત્ર બે જ લોકો સંકળાયેલા છે જેમાં તે પોતે અને સુજોય છે. પરંતુ મોડેથી અન્ય લોકો પણ જોડાયા હતી. સારી ફિલ્મ બનાવવાના પ્રયાસ થયા હતા. આખરે આ ફિલ્મ એવોર્ડ જીતી ગઈ છે. વિદ્યા બાલને ગયા વર્ષે પણ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો. આ વર્ષે પણ શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મ ફેર એવોર્ડ તે જ જીતી ગઈ છે.