વાસણા બેરેજના બે દરવાજા ખોલવા પડયા
અન્ડરબ્રિજો બંધ કરાયા : ૧૩૨ ફુટનો રીગ રોડ પર પાણી ભરાયા : અખબારનગરમાં હોર્ડિંગ પડતા ઇમારતને નુકસાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૪
શહેરમાં વહેલી સવારે ૪ વાગ્યા બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે શરુ થયેલ વરસાદે પૂર્વના અનેક વિસ્તારોને પાણી પાણી કરી દીધા છે. હાટકેશ્વર, અમરાઈવાડી ૧૩૨ ફુટના રિંગરોડ પર વરસાદી પાણીનો ભરાવો થયો છે. હાટકેશ્વર સર્કલ પર આવેલા આઈશ્રી ખોડિયાર મંદિર સકુંલમા વરસાદી પાણી ભરાઈ ગયું છે. જોકે મંદિર સકુંલમા સમારકામ ચાલુ હોવાથી શ્રદ્ધાળુઓને દર્શન માટે અગાઉથી જ બંધ કર્યુ હતું. હાટકેશ્વર સર્કલ જાણે બેટમાં ફેરવાયુ હતું. ભારે વરસાદથી ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અનેક લોકોના ઘરોમાં ઓટલા સુધી પાણી ભરાયા છે. મણિનગર ગોરના કુવા માર્ગ પરની, જશોદાનગરથી સીટીએમના નેશનલ હાઈવે પરની અને સીટીએમ જામફળવાડી કેનાલ પાસેની અનેક સોસાયટીઓના રસ્તાઓમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. મણિનગરમાં જવાહરચોકથી ભૈરવનાથ અને વટવા જીઆઈડીસી જવાના માર્ગ પર પુનિતનગર રેલવે ફાટક પાસેના નીચાણવાળા વિસ્તારોમા વરસાદી પાણીનો ભરાવો થયો છે. આમ વરસી પડેલા વરસાદે અમદાવાદને ધમરોળી નાંખ્યું છે. નરોડા, મેમકો, દુધેશ્વર તરફ ૧ કલાકમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. તો ચકુડિયા, ઓઢવ,ઉસમાનપુરા, રાણીપ, બોડકદેવ, મ્યુનિ.કોઠા, વટવા, સરખેજ અને મણિનગર તરફ પણ દોઢથી ૨ ઇંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદમા સવારથી પડેલા વરસાદથી શહેર થયુ પાણી-પાણીઅમદાવાદમા સવારથી પડેલા વરસાદથી શહેર થયુ પાણી-પાણી૭ વાગ્યા બાદ વરસાદ બંધ થવાથી પાણીનો નિકાલ પણ શરૂ થયો હતો. વાસણા બેરેજના બે ગેટ ખોલી ૩૦૪૨ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ૨૩ અને ૨૪ નંબરના ગેટ ઓપન કરાયા છે. તો હાટકેશ્વર, ઝ્ર્સ્, ખોખરા, સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. તો બીજી તરફ મીઠાખળી અંડરપાસમાં ફરીથી દિવાલ ધસી પડવાનો બનાવ બન્યો હતો. મેઘાણીનગર, નરોડા, ઓઢવ તરફના વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા છે. હાલ વરસાદ બંધ થતાં પાણી ઉતરવાના શરૂ થયા છે.