કોરોના વાયરસનું સંક્રમણ રોકાવવાનું નામ નથી લેતુ
અમદાવાદમાં ૨૫૩, સુરતમાં ૪૫, વડોદરામાં ૩૪ કેસ ચોથુ લોકડાઉન પુરૂ થવામાં છે ત્યારે વાયરસ વધુ વકર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૭
ગુજરાતમાં આજે છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૩૭૨ નવા ૩૭૨ દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાં ૨૦ વ્યક્તિઓના મોત સાથે મૃત્યુઆંક કુલ ૯૮૦ થયો છે. રાજ્યમાં હાલમાં ૬૩૫૫ કોવિડ-૧૯ના એક્ટીવ કેસ છે. ૬૮ વ્યક્તિઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા ૬૦૮ છે. જેમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા ૮૬૦૯ છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો ૧૫૯૪૪ થયો છે. ગુજરાતમાં આજે કોવિડ-૧૯ના ૩૭૨ નવા દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦ વ્યક્તિઓના કોરોનાના કારણે મોત નીપજ્યા છે. જેમાં અમદાવાદમાં ૧૮ અને સુરતમાં ૨ વ્યક્તિના મોત સાથે રાજ્યમાં ૯૮૦ મોત નોંધાયા છે. અમદાવાદમાં ટોટલ એક્ટીવ કેસ ૬૩૫૫ છે. જેમાં વેન્ટીલેટર પર ૬૮ વ્યક્તિઓ છે. રાજ્યમાં અમદાવાદમાં ૨૫૩, સુરતમાં ૪૫, વડોદરામાં ૩૪, ગાંધીનગરમાં ૮, મહેસાણામાં ૭, છોટાઉદેપુરમાં ૭, કચ્છમાં ૪, નવસારીમાં ૨, બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, ખેડા, ભરૂચ, સાબરકાંઠા, વલસાડ, જુનાગઢ, સુરેન્દ્રનગર અને અન્ય રાજ્યમાં ૧-૧ સાથે કુલ ૩૭૨ કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે ૨૭૨૪૦૯ વ્યક્તિોને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાં ૨૬૪૩૧૨ વ્યક્તિઓ હોમક્વોરોન્ટાઇન છે અને ૮૦૯૭ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરોન્ટાઇન રાખવામાં આવ્યા છે. રાજ્યમાં આજે ૬૦૮ દર્દી સાજા થઈ ઘરે ગયા છે.
ગુજરાતમાં કોરોના કેસો
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૨૯
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૩૭૨ કેસ સપાટી પર આવ્યા હતા.
શહેર | કેસ |
---|---|
અમદાવાદ | ૨૫૩ |
સુરત | ૪૫ |
વડોદરા | ૩૪ |
મહેસાણા | ૭ |
ગાંધીનગર | ૮ |
છોટા ઉદેપુર | ૭ |
કચ્છ | ૪ |
નવસારી | ૨ |
બનાસકાંઠા | 1 |
રાજકોટ | 1 |
અરવલ્લી | 1 |
પંચમહાલ | 1 |
મહીસાગર | 1 |
ખેડા | 1 |
ભરૂચ | 1 |
સાબરકાંઠા | 1 |
વલસાડ | 1 |
જુનાગઢ | 1 |
સુરેન્દ્રનગર | 1 |
અન્ય રાજ્ય | 1 |
કુલ | ૩૭૨ |