સગર્ભા હોવાનો અહેવાલ પાયા વગરનો છે : શિલ્પા

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ,તા.૧૯

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ તે હાલમાં સગર્ભા હોવાના અહેવાલનો રદિયો આપ્યો છે. મિડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ પાયા વગરના છે તેમ શિલ્પાએ કહ્યુ છે. ટિ્વટર ઉપર શિલ્પાએ કહ્યુ છે કે આ પ્રકારના અહેવલા અટકળોરૂપે પ્રકાશિત કરવામાં આવ્યા છે. ૨૨મી નવેમ્બર ૨૦૦૯ના દિવસે બે વર્ષ સુધી મિત્રતા બાદ રાજકુંદ્રાની સાથે શિલ્પા શેટ્ટીએ લગ્ન કરી લીધા હતા. અગાઉ એવા અહેવાલ આવ્યા હતા કે આ દંપત્તિ તેમના પરિવારમાં નવા સભ્યના આગમનની રાહ જોઈ રહ્યા છે. મિડિયામાં અહેવાલ આવ્યા બાદ શિલ્પાશેટ્ટીના નજીકના મિત્રો પણ તેને અભિનંદન સંદેશાઓ અને કોલ કરી રહ્યા હતા. જેથી ત્રાસી જઈને આખરે શિલ્પા શેટ્ટીએ આ પ્રકારના અહેવાલ આધાર વગરના છે તેમ સાફ શબ્દોમાં કહ્યુ છે.

 

રણવીરસિંહ સાથે કોઇ મતભેદ નથીઃ રણબીર

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ,તા.૧૯ બોલિવુડમા યુવા પેઢીના લોકપ્રિય અભિનેતા રણબીર કપુરે સાફ શબ્દોમાં કહ્યું છે કે રણવીર સિંહ સાથે તેના કોઇ પણ પ્રકારના મતભેદ નથી. તેમની વચ્ચે ખેંચતાણ હોવાના અહેવાલો બિલકુલ પાયાવગર છે. રણબીર કપુરે કહ્યું છે કે તેમની વચ્ચે કોઇ લડાઇ થઇ નથી. રણબીર તરફથી કહેવામાં આવ્યું છે કે તેના દ્વારા આપવામાં આવેલી પાર્ટીમાં તેની રણવીર સાથે કોઇ પ્રકારની લડાઇ થઇ હતી તે અહેવાલ ખોટા છે. તમામ અહેવાલો બિલકુલ પાયાવગરના છે. દરમિયાન રણબીર સાથે સંકળાયેલા સુત્રોએ કહ્યું છે કે સામાન્ય રીતે રણબીર કોઇ પણ મામલે સ્પષ્ટીકરણ કરતો નથી પરંતુ આ વખતે આ ખુલાસો જરૂરી બની ગયો હતો. કારણ કે મિડિયામાં સતત ખોટા અહેવાલ આવી રહ્યા હતા. જેથી આવા અહેવાલોને રોકવા જરૂરી હતા. રણબીરને આ પ્રકારની અફવાથી મોટો ફટકો પડ્યો છે. રણબીરે ેમ પણ કહ્યું છ ેકે રણવીર ખુબ જ કુશળ અભિનેતા છે. તે સારા પરિવાર સાથે જોડાયેલો છે. રણવીર સારો મિત્ર છે. તેની ફિલ્મો પણ તે નિહાળ ેછે. રણબીરે સંજય લીલી ભણશાળીની ફિલ્મ સાંવરિયા મારફતે કેરિયરની શરૂઆત કરી હતી પરંતુ પરંતુ આ ફિલ્મ સફળ રહી ન હતી. જો કે ત્યારબાદ રણબીરે એકપછી એક અનેક હીટ ફિલ્મો આપી હતી. જાહેરખબરની દુનિયામાં પણ તે લોકપ્રિય છે. રણવીર સિંહ સારો અને ખુબ જ કુશળ અભિનેતા છે, તેની ફિલ્મો જોવાનું તે પસંદ કરે છેઃરણબીરની પ્રતિક્રિયા

 

કગંના મધુબાળાની ભૂમિકા અદા કરશે

(સંપૂર્ણ સમાચાચર સેવા) મુંબઇ,તા. ૧૮

બોલિવુડના જાણીતા નિર્માતા નિર્દેશક અનુરાગ બાસુ હવે નવી ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ અનુરાગ નવી ફિલ્મમાં મધુબાળાની ભૂમિકા અદા કરવા માટે કંગના રાણાવતની પસંદી કરી ચુક્યા છે. જો કે આ સંબંધમાં હજુ નક્કર માહિતી હાથ લાગી નથી. પરંતુ કંગના નવા રોલને લઇને ખુબ ઉત્સાહિત છે. કિશોર કુમાર પર બનનારી આ ફિલ્મમાં કંગનાની ભૂમિકા લખવામાંઆવી રહી છે. કંગના હાલ બોલિવુડમાં સતત લોકપ્રિય થઇ રહી છે. તે સલમાનખાન સાથે મિત્રતા પણ વધારી રહી છે. સલમાનના શુટિંગના સ્થળે તે વારંવાર પહોંચી જાય છે. સલમાન સાથે મિત્રતાના કારણે તેને ચોક્કસપણે ફાયદો થવાની શક્યતા છે. તે સલમાન સાથે એક ફિલ્મ કરવાની પણ ઇચ્છા ધરાવે છે. કંગના રાણાવત બોલિવુડમાં કેટલાક વર્ષોથી હોવા છતાં તેને અપેક્ષા મુજબની સફળતા મળી નથી. ફેશન ફિલ્મમાં તે સારી ભૂમિકા અદા કરવામાં સફળ રહી હતી. તેને પ્રંશસા પણ મળી હતી. અનુરાગને કાઇટ્સ ફિલ્મમાં સફળતા મળી ન હતી. રિતીક રોશન અને બારબરા મોરી અભિનિત ફિલ્મ ફલોપ થતા રિતિક પણ હતચમચી ઉઠ્યો છે.

 

કૈટરીના કૈફથી તે વધુ કુશળ છે : સોફિયા હયાતનો દાવો

(સંપૂર્ણ સમાચાર સેવા)

મુંબઇ,તા. ૧૮

બોલિવુડમાં હાલમા જ એન્ટ્રી કરી ચુકેલી સોફિયા હયાતે કહ્યું છે કે તે કેટરીના કેફ કરતા વધારે પ્રતિભાશાળી છે. સોફિયાએ આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન કરીને પોતાના માટે મુશ્કેલી ઉભી કરી લીધી છે. તે આવા નિવેદન કરીને બોલિવુડમાં સક્રિય રહેવા માંગે છે. ક્રિકેટ વિશ્વ કપ દરમિયાન બૈકલેસ થઇને પોતાન શરીર પર હયાતે વિશ્વ કપ બનાવીને ભારતીય ટીમનું સમર્થન કર્યું હતું. ત્યારબાદ તે બિકની પહેરીને પોતાની ફિલ્મ ડાયરી ઓફ બટરફલાય માટે પ્રચાર કરી ચુકી છે. હવે તે સીધી રીતે કેટરીના કેફ પર પ્રહાર કરી રહી છે. સોફિયાએ કેટરીના કેફનો દાખલો આપતા કહ્યું છે કે તેના કરતા ઓચી પ્રતિભાશાળી રહેલી કેટરીનાને બોલિવુડમાં સફળતા મળી શકે છે તો તેને સફળ થવાથી કોઇ રોકી શકે નહી. કેટરીનાનું નામ આપીને સોફિયાએ ફરીએકવાર લોકપ્રિય થવાનો પ્રયાસ કર્યો છે. સોફિયાનું કહેવુ છે કે તેની પાસે અભિનય અને ડાન્સમાં ડિગ્રી છે. છ વર્ષનો તે અનુભવ ધરાવે છે. જયારે કેટરીના પ્રતિભાવિહીન છે. શીલા કી જવાની ગીતમાં તે ચહેરા પર યોગ્ય એક્સપ્રેશન લાવી શકી નથી. જો તે સફળતા મેળવી શકે છે તો તે કેમ નહી તેમ સોફિયા કહે છે. બોલિવુડના નિષ્ણાંતોનું કહેવુ છે કે કેટરીના કેફ જેટલી સફળ ફિલ્મો આપ્યા જ સોફિયાએ આવી વાત કરવી જોઇએ. કેટરીનાને સફળ બનાવવામાં સલમાનખાનની પણ ભૂમિકા છે.

 

ફિલ્મોમાં ટકી રહેવા વિવાદાસ્પદ નિવેદન કર્યુ : ઓછી કુશળતા વાળી કેટ સફળ થઈ શકે છે તો તે કેમ નહીં ?

 

અસીને કેટરીના, પ્રિયંકા અને દિપિકાને અંતે પછડાટ આપી

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઇ,તા. ૧૭
બોલિવુડની અભિનેત્રી અસીન હવે વધારે કુશળ હોવાની સાબિતી આપી રહી છે. શાહરૂખખાન, આમીરખાન અને સલમાન સાથે કામ કરવાનું સ્વપ્ન દરેક અભિનેત્રીનું રહે છે. જે કામ કેટરીના, દિપિકા, પ્રિયંકા કરી શકી નથી તે કામ અસીન કરી શકવામાં સફળ રહી છે. વર્તમાન સમયના ત્રણેય સુપરસ્ટાર સાથે કામ કરવામાં અસીન સફળ રહી છે. કેટરીના અને પ્રિયંકા જેવી ટોચની અભિનેત્રીઓ બાદ ફિલ્મોમાં પ્રવેસ કરનાર અસીન ત્રણેય ખાન સાથે કામ કરવાનું સ્વપ્ન પૂર્ણ કરી ચુકી છે.
ચેતન ભગતની નવલકથા પર તૈયાર થનારી ફિલ્મમાં શાહરૂખ સાથે કામ કરશે. શાહરૂખ સાથે તે પ્રથમ વખત નજરે પડશે. આ પહેલા તે સલમાન, અને આમીર સાથે કામ કરી ચુકી છે. પોતાની પ્રથમ ફિલ્મ ગજનીમાં તે આમીરખાનની અભિનેત્રી હતી. ત્યારબાદ તે લંડન ડ્રીમ્સમાં સલમાનની અભિનેત્રી હતી. હવે ત્રીજી જુનના દિવસે રજૂ થઇ રહેલી ફિલ્મમાં પણ તે સલમાન ખાન સાથે નજરે પડનાર છે. રેડી ફિલ્મ રજૂઆત થવાની તૈયારીમાં છે. જયાં સુધી શાહરૂખની ફિલ્મની વાત છે પહેલા તેમાં પ્રિયંકા ચોપડાની વાત હતી. પરંતુ હવે કિગ ખાને છેલ્લી ઘડીએ તેનું નામ કાપી અસીનના નામ પર મંજૂરીની મહોર મારી દીધી છે. અસીનને સલમાન કેમ્પની અભિનેત્રી તરીકે ગણવામાં આવતી હતી. અસીનનું કહેવુ  છે કે તે આ સંબંધમાં કોઇ ટિપ્પણી કરવા ઇચ્છતી નથી.

આમીર અને સલમાન સાથે કામ કર્યા બાદ અસિનની હવે કિંગ શાહરુખખાનની ફિલ્મ માટે પસંદગી કરાઈ

 

પ્રિયંકા ચોપડાની વિરુદ્ધ તપાસ કરવામાં આવશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઇ,તા. ૧૭
બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપડાની સામે હવે તપાસ કરવામાં આવશે. ૧૨ વર્ષ અગાઉ મુંબઇમાં જઇને રહેવા લાગેલી પ્રિયંકા ચોપડા અને તેના પરિવારના સભ્યો નગર નિગમની ચૂંટણીની મતદાર યાદી મુજબ હજુ ઉત્તરપ્રદેશના બરેલી શહેરમા રહે છે. જિલ્લા વહીવટીતંત્રે આ મામલાને હવે ગંભીરરીતે ગણીને તેમાં તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ સિટી સ્ટેશન રોડ પર સ્થિત કુવરપુલ વિસ્તારમાં રહેનાર પ્રિયંકા વર્ષોથી મુંબઇમાં રહે છે. બરેલી સાથે તેનો સંબંધ તુટી ચુક્યો છે. પરંતુ નગર નિગમની ચૂંટણી સાથે સંબંધિત યાદીમાં હજુ તેનું નામ બોલે છે. ઉલ્લેખનીય છે કે આ વખતે વસ્તી ગણતરીના ભાગરૂપે કાયદાકીય રીતે દરેક ઘરમા જઇને તપાસ કરવામાં આવી હતી. વોર્ડ સંખ્યા ૩૫ની મતદાર યાદી મુજબ પ્રિયંકા, તેના પિતા અશકો ચોપડા અને માતા મધુ ચોપડા મલુકપુરના મકાન નંબર ૧૩ના નિવાસી છે. જેમાં ક્રમાંક ૫૬ પર પ્રિયંકા, ૫૭ પર તેની માતા અને ૬૦ પર પ્રિયંકાનું નામ આવેલુ છે. બરેલીના નાયબ જિલ્લા અધિકારી અમરપાલ સિંહે કહ્યું છે કે જયારે કોઇ વ્યક્તિના પરિવારના સભ્યો અન્ય જગ્યાએ જઇને રહેવા માંગે છે ત્યારે તેમના નામ મતદાર યાદીમાંથી દુર કરી દેવામાં આવે છે. તેઓએ આ મામલાને ગંભીર ગણીને તેમા તપાસ કરવાની ખાતરી આપી છે. સિંહે કહ્યું છે કે પ્રિયંકા અને તેના પરિવારના સભ્યો ૧૨ વર્ષ પહેલા મુંબઇ જઇ રહેવા લાગી ગયા છે. જેથી તેમનું નામ પહેલા દુર થઇ જવા જોઇતા હતા. આશરે ૧૨ વર્ષ અગાઉ પ્રિયંકા ચોપડા મિસ વર્લ્ડ બની ત્યારે તેના પરિવારના સભ્યો મુંબઇમાં આવી ગયા હતા. ત્યારબાદથી પ્રિચંકાના પરિવારના સભ્યો એક બે વખત બરેલી ગયા છે. આશરે પાંચ વર્ષ પહેલા જયારે નગર નિગમની ચૂંટણી થઇ ત્યારે આ મામલો સપાટીએ આવ્યો હતો. એ વખતે પ્રિયંકાના પરિવારના સભ્યોએ ધારદાર દલીલો આપી હતી. હાલના સમયમાં પ્રિયંકાના પરિવારના સભ્યો બરેલીમાં નથી.

૧૨ વર્ષ પૂર્વે મુંબઈ આવી ચુકેલી પ્રિયંકા અને પરિવારના સભ્યોના નામ બરેલી ચુંટણી મતદાર યાદીમાં બોલે છે

 

અમિષા ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ભાગ્ય અજમાવશ

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઇ,તા. ૧૬

બોલિવુડમાં ઘણી મોટી ફિલ્મોમાં કામ કરી ચુકી હોવા છતાં સફળતા નહી મેળવનાર અભિનેત્રી અમિષા પટેલ હવે ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ભાગ્ય અજમાવશે. સામાન્ય રીતે જયારે કોઇ અભિનેત્રી ફિલ્મ નિર્માણ ક્ષેત્રે કુદે છે ત્યારે નાના બજેટવાળી ફિલ્મો બનાવે છે. એશ્વર્યા રાય બચ્ચન, મનિષા કોઇરાલાથી લઇને ચલો દિલ્હી બનાવનાર લારા દત્તા પણ મોટા બજેટ વાળી ફિલ્મો બનાવવાનો ખતરો લઇ શકી નથી. પરંતુ અમિષા આ અભિનેત્રીઓના ઇશારે ચાલનાર નથી. તે મોટા બજેટની ફિલ્મ બનાવવા માંગે છે. સુત્રોએ કહ્યું છે કે તે ૩૦ કરોડ રૂપિયાના બજેટ સાથે મોટી ફિલ્મ બનાવવા માંગે છે. આ ફિલ્મનું નિર્દેશન ડેવિડ ધવન કરશે. અમિષા પટેલની ફિલ્મનું બજેટ સાંભળીને કેટલાક કલાકારો ચોંકી ઉંઠયા છે. કેટલાક લોકોનું કહેવુ છે કે અમિષા પટેલ પાસે આટલી રકમ કઇ રીતે આવી છે. અમિષા હાલ કલાકારોની પસંદગી કરવામાં લાગેલી છે. કેટલાક કલાકારો સાથે તેની વાતચીત ચાલી રહી છે.

 

ખુબસુરત કરીના કપુરે છ કરોડની ઓફરને ફગાવી

(સંપૂર્ણ સમાચાર સેવા)

મુંબઇ,તા. ૧૬

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી કરીના કપુરે છ કરોડ રૂપિયાની ઓફરને ફગાવી દીધી છે. કરીના કપુર બોલિવુડની ટોચની અભિનેત્રી પૈકીની એક છે. છ કરોડ રૂપિયાની ઓફર ફગાવી દેવાની વાત કોઇ નાની વાત નથી. એક કંપનીએ ચિકન બ્રાન્ડના પ્રચાર માટે કરીના કપુરનો સંપર્ક કર્યો હતો. આના બદલે છ કરોડ રૂપિયા આપવાની ઓફર પણ કરવામાં આવી હતી. જો કે કરીનાએ શાકાહરી હોવાના કારણે આ ઓફર ફગાવી દીધી હતી. તે માંસાહરીને પ્રોત્સાહન આપવા ઇચ્છતી નથી. કરીના કપુરના આ નિર્ણયની પ્રશંસા કરવામાં આવી છે. કારણ કે બોલિવુડમાં ઘણા એવા કલાકારો ચે જે પૈસાના મામલે જે ચીજોનો તેઓ ઉપયોગ કરતા નથી તે ચીજના પ્રચાર માટે પણ ખચકાચ અનુભવ કરતા નથી.દાખલા તરીકે કેટલીક અભિનેત્રી એવા શેમ્પુ માટે પણ પ્રચાર કરે છે જે શેમ્પુથી તે વાળ ધોવાનું પસંદ કરતી નથી. કેટલાક અભિનેતા એવા મોબાઇલનો પ્રચાર કરે છે જે મોબાઇલનો ઉપયોગ તેઓ ક્યારેય પણ કરતા નથી.

આવા સ્ટારને પૈસા મળી જાય છે પરંતુ ચાહકો ગેરમાર્ગે દોરાઇ જાય છે અને એવી ચીજોની ખરીદી કરે છે. કરીના કપુર લાંબા સમયથી શાકાહારી છે. તે શાહીદ કપુરના પ્રેમમાં હતી ત્યારે તેના કહેવાથી તે વેજેટેરિયન થઇ

ગઇ હતી. ત્યારબાદથી તે શાકાહારી છે.

કરીના કપૂરને ચીકન બ્રાન્ડના પ્રચાર માટે જંગી રકમની ઓફર કરવામાં આવી હતી પરંતુ ઓફર ફગાવી દીધી

 

રણબીર કપુર માટે હાલ સોનમ પાસે સમય નથી

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઇ,તા. ૧૩

બોલિવુડની ઉભરતી અભિનેત્રી સોનમ કપુરના સારા મિત્રો પૈકી એક તરીકે રણબીર કપુરની પણ ગણતરી કરવામાં આવે છે. પરંતુ હાલમાં તે રણબીર માટે સમય કાઢી શકતી નથી. સોનમ અને રણબીર બન્ને આધુનિક સમયના સૌથી કુશળ કલાકારો પૈકીના એક છે. જેથી બન્ને એકબીજા સાથે મિત્રતા તોડવા માટે પણ ઇચ્છતા નથી. સોનમે તાજેતરમાં કહ્યું હતું કે તે રણબીર કપુરની પાર્ટીમાં ભાગ લઇ શકતી નથી. કાન્સમાં હજુ સુધી સૌથી ખુબ ખુબસુરત કૌણ નજરે પડી છે તે અંગે પુછવામાં આવતા સોનમે કહ્યું હતું કે ગયા વર્ષે એશ્વર્યા રાય બચ્ચને તમામને રોમાંચિત કરી દીધા હતા. તે સૌથી ખુબસુરત દેખાતી હતી. સોનમે કહ્યું છ ેકે તેના પિતા અને અભિનેતા અનિલ કપુર હાલ લોસએન્જલસમાં છે જયાંથી તેઓ લંડન જશે. તે તેના પિતાને ખુબ મીસ કરે છે તેમ સોનમે કહ્યું છે.

 

કેટરીના- દિપિકા બંન્નેમાંથી આમીર કોની પસંદગી કરશે

(સંપૂર્ણ સમાચાર સેવા)

મુંબઇ,તા. ૧૩

આમીરખાન પોતાની ફિલ્મ દેહલી બેલીને લઇને મૌન છે. પરંતુ સુત્રોએ કહ્યું છે કે પહેલી જુલાઇના દિવસે રજૂ થનારી ફિલ્મ દેહલી બેલીમાં રાખવામાં આવેલા આઇટમ સોંગમાં તે કોને પસંદ કરે તે અંગે આમીરખાન ગુંચવણભરી સ્થિતીમાં છે. દિપિકા અને કૈટરીના કેફ બન્નેમાંથી કોઇ એકની પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે. હાલના સમયમાં આટિમ સોંગ મારફતે ફિલ્મો ચર્ચા જગાવી રહી છે. તીસ મારખા, દબંગ, થૈંક યુ, દમ મારો દમ અને યમલા પગલા દિવાના જેવી ફિલ્મોના દાખલા અમારી સામે છે. આમીરખાન પણ પોતાના બેનર હેઠળ બની રહેલી ફિલ્મની પબ્લિસિટી મેળવવા માટે તૈયાર છે. સુત્રોએ કહ્યું છે કે આમીરખાન વિચારે છે કે આઇટમ સોંગમાં કોઇ મોટી અભિનેત્રીને તક આપવામાં આવે. નિષ્ણાંતો માને છે કે આમીરખાનના ફોનનો ઇંન્તજાર બોલિવુડની દરેક અભિનેત્રી કરી રહી છે. દમ મારો દમમાં દિપિકા પર રજૂ કરવામા આવેલા ડાન્સથી આમીરખાન ખુબ પ્રભાવિત છે.

બીજી તરફ કેટરીના કૈફને નજરઅંદાજ કરી શકાય નહી. કેટરીનાના શીલાની જવાનીએ ભારે લોકપ્રિયતા જગાવી હતી.દિપિકા અને કેટરીના ઇચ્છા વિરુદ્ધ હવે એકબીજાની સામે આવી ગઇ છે. તેમની વચ્ચે સંબંધ સારા રહ્યા નથી. જે કોઇ પણ અભિનેત્રીને તક મળશે તે જીત માટેનો દાવો કરવામાં ખચકાટ અનુભવ કરશે

નહી. આમીરખાનના ત્રીજા વિકલ્પ તરીકે મલ્લિકા શેરાવત છે.

 

પહેલી જુલાઈના દિવસે રજુ થનારી ફિલ્મમાં આઈટમ સોંગ કરવા માટે કોની પસંદગી કરવી તેને લઈ ગુંચવણમાં

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope