(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ,તા.૧૯
બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ તે હાલમાં સગર્ભા હોવાના અહેવાલનો રદિયો આપ્યો છે. મિડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ પાયા વગરના છે તેમ શિલ્પાએ કહ્યુ છે. ટિ્વટર ઉપર શિલ્પાએ કહ્યુ છે કે આ પ્રકારના અહેવલા અટકળોરૂપે પ્રકાશિત કરવામાં આવ્યા છે. ૨૨મી નવેમ્બર ૨૦૦૯ના દિવસે બે વર્ષ સુધી મિત્રતા બાદ રાજકુંદ્રાની સાથે શિલ્પા શેટ્ટીએ લગ્ન કરી લીધા હતા. અગાઉ એવા અહેવાલ આવ્યા હતા કે આ દંપત્તિ તેમના પરિવારમાં નવા સભ્યના આગમનની રાહ જોઈ રહ્યા છે. મિડિયામાં અહેવાલ આવ્યા બાદ શિલ્પાશેટ્ટીના નજીકના મિત્રો પણ તેને અભિનંદન સંદેશાઓ અને કોલ કરી રહ્યા હતા. જેથી ત્રાસી જઈને આખરે શિલ્પા શેટ્ટીએ આ પ્રકારના અહેવાલ આધાર વગરના છે તેમ સાફ શબ્દોમાં કહ્યુ છે.