ચૂંટણીઓમાં સોગંદનામા બદલ પગલા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૨
સંસદમાં એક તરફ વિપક્ષ અને સરકાર વચ્ચેની લડાઈ ચાલી રહી છે ત્યારે બીજી તરફ એનસીપીના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવાર ,મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તથા તેમના પુત્ર આદિત્ય ઠાકરે ને આવકવેરા વિભાગ તરફથી નોટિસ ફટકારવામાં આવી છે. એવું મનાઈ રહ્યું છે કે આ નોટિસ થકી છેલ્લા કેટલાક ચૂંટણીઓમાં તેમણે રજૂ કરેલા સોગંદનામામાં આપેલી જાણકારી માગવામાં આવી છે. એમ પણ મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે તકરાર ચાલી રહ્યો છે. ત્યારે અપાયેલી નોટિસ રાજકીય મોરચે ગરમાવો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે શરદ પવાર દ્વારા અને શિવસેના દ્વારા સતત કૃષિ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે . શરદ પવારને નોટિસ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે આવકવેરા વિભાગ કેટલાક લોકોને વધારે પ્રેમ કરે છે.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...