જીવના જોખમને જોઈને ઝેડ પ્લસ સુરક્ષા આપો : સુપ્રીમ

અંબાણી બંધુઓની સુરક્ષા પાછી ખેંચવાની અરજી રદ

અંબાણી બંધુ પોતાના પૈસે સુરક્ષા કરવા સક્ષમ હોવાની દલિલ સાથે તેમને સરકારી સુરક્ષા પાછી ખેંચવા અરજી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૮
સુપ્રીમ કોર્ટે મંગળવારે અંબાણી બંધુઓ- મુકેશ અંબાણી અને અનિલ અંબાણી પાસેથી ઝેડ પ્લસ સિક્યોરિટી કવર પાછું લેવાની અરજીને રદ કરી નાખી. તેણે બોમ્બે હાઈકોર્ટની તે ટિપ્પણીનું સમર્થન કર્યું છે કે, ઉચ્ચસ્તરીય સુરક્ષા તેમને આપવી જોઈએ જેમના જીવને જોખમ હોય અને જે સુરક્ષાનો ખર્ચ ઉઠાવવા માટે તૈયાર હોય. અરજીકર્તા હિમાંશુ અગ્રવાલે એમ કહીને બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો કે, અંબાણી બંધુઓ પાસેથી સુરક્ષા પાછી લેવાની માગણી કરી હતી કે, તેઓ ધનિક છે અને પોતાના ખર્ચે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં સક્ષમ છે.
બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે, કાયદાનું પાલન સુનિશ્ચિત કરવું રાજ્યની જવાબદારી છે. એમાં એવા નાગરિકોને સુરક્ષા આપવી પણ સામેલ છે જેમના જીવને જોખમ હોય. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)ની રેવન્યૂનો ભારતના જીડીપી પર મોટો પ્રભાવ છે. આ લોકોના જીવના ખતરાના હળવાશમાં ન લઈ શકાય. અગ્રવાલે પોતાના વકીલ કરણ ભારીહોકે દ્વારા જસ્ટીસ અશોક ભૂષણ, આર.એસ રેડ્ડી અને એમ.આર શાહની બેંચમાં જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિને જીવનું જોખમ હોવાના કડક પુરાવા ન હોય અને ઝેડ પ્લસ સિક્યોરિટી આપવી તે પક્ષપાતી વલણ દર્શાવે છે. રાજ્ય સરકાર તરફથી પોતાનો પક્ષ રજૂ કરવા માટે કોર્ટમાં કોઈ ઉપસ્થિત નહોતું. જ્યારે અંબાણી ભાઈઓ તરફથી હાજર રહેલા એડવોકેટ મુકુલ રોહતગીએ કહ્યું, બંને ઉદ્યોગપતિ ભાઈઓ અને તેમના પરિવાર પર ખતરો છે. તેમણે કહ્યું, અમે સરકાર તરફથી મળતી સુરક્ષાના બદલામાં પેમેન્ટ કરી રહ્યા છીએ.’ જેના પર અરજીકર્તાના વકીલે કહ્યું હતું કે, આ જીવના જોખમનો પોતાનો દ્રષ્ટિકોણ છે. રાજ્ય માટે કોઈને સિક્યોરિટી કવર આપવા જીવને જોખમ અને સિક્યોરિટી કવર વચ્ચે વાજબી સંબંધ હોવો જોઈએ.જીવના…
(આગળના પાનાનું ચાલુ)
જેના પર કોર્ટે સવાલ કર્યો કે, જો કોઈ નાગરિકને જીવનું જોખમ હોય અને તે પોતાની સુરક્ષાનો ખર્ચ ઉઠાવવા માટે તૈયાર હોય, તો શું સરકાર તરફથી સુરક્ષા પ્રદાન કરવી જોઈએ? સરકાર દ્વારા નાગરિકના જીવનના જોખમના દ્રષ્ટિકોણનું છેલ્લીવાર રિવ્યૂ ક્યારે કરાયું હતું? બેન્ચ દ્વારા અંબાણી બંધુઓની ઝેડ પ્લસ સુરક્ષા કેન્સલ કરવાની અરજી નકારી દેવાઈ. આ સાથે કહેવાયું કે, રાજ્યએ સમય સમય પર અંબાણી ભાઈઓ પર જોખમનું રિવ્યૂ કરવું જોઈએ અને તેમને સુરક્ષા પૂરી પાડવાના સંદર્ભમાં જરૂરી પગલા ભરવા જોઈએ. એડવોકેટ રોહતગીએ કહ્યું, અંબાણી આ માટે પૈસા ચૂકવવા તૈયાર છે. જવાબમાં બેન્ચે કહ્યું, અમને કોઈ શંકા નથી કે તમે તેના માટે ચૂકવી શકો છો..

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope