બાજુના પેટ્રોલ પંપ પર પાણી પ્રદૂષિત હોવાનો આક્ષેપ
તળાવમા ઓવરફલો પાણીમા માછલીઓ મૃત હાલતમાં જોવા મળતા જીવદયા પ્રેમીઓ સહિત લોકો ઉમટી પડ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જૂનાગઢ,તા.૧૩
જૂનાગઢ શહેરની મધ્યમા આવેલા નરસિંહ મહેતા તળાવમા હજારો માછલીઓના મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. નરસિંહ મહેતા તળાવમા આજે વહેલી સવારે ઓવરફલો પાણીમા હજારો માછલીઓ મૃત હાલતમાં જોવા મળતા જીવદયા પ્રેમીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ ને પણ જાણ કરી હતી તે છતાં કોઈ ફરકયુ ના હતું. જીવદયા પ્રેમીઓએ આક્ષેપ કરતા કહ્યું છે કે,બાજુ મા પેટ્રોલ પંપ આવેલો છે તેના ટાંકામાંથી પેટ્રોલ કે ડીઝલ છોડાતા પાણી પ્રદુષિત થતા માછલીઓના મોત થયા છે. વધુમા તેમણે જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા જ અમે ગેરકાયદેસર માછીમારી કરતા લોકોને માછીમારી કરતા રોક્યા હતા. તળાવમાં માછીમારી થતી હોવાનું પણ કોર્પોરેશનનુ ધ્યાન દોર્યું હતુ. પરંતુ કોર્પોરેશન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. નરસિંહ તળાવમાં આજે કેમિકલ પેટ્રોલ કે ડીજલને કારણે માછલીઓ મોતને ભેટી છે. મહત્વનું છે કે, નરસિંહ મહેતા સરોવરમાં ગઇકાલે સવારના સમયે એક લાંબો સાપ કિનારે આવી ગયો હતો. રસ્તેથી પસાર થતા લોકોની નજર પડી જતાં લોકો તેને જોવા ઉભા રહી ગયા હતા. જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના કાંઠે સવારના સમયે એક લાંબો સાપ જોવા મળ્યો હતો. અડધો પાણીમાં અને અડધો બહાર આવી ગયેલો સર્પ જોઇ રસ્તેથી પસાર થતા લોકો જોવા ઉભા રહી ગયા હતા અને તેનો ફોટો પાડવા લાગ્યા હતા.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...