કોરોનાને પગલે આર્થિક તંગીના લીધે બે વ્યક્તિની આત્મહત્યા

સુરતના અલગ અલગ વિસ્તારની ઘટના
સુરતમાં ફેબ્રિકેશનનું યુનિટ ધરાવનારા યુવક અને એક રત્નકલાકાર યુવકએ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત , તા.૨૯
કોરોનાને કારણે લોકોની આર્થિક હાલત કફોડી બની છે. જેના પગલે લોકો પોતાની જિંદગીનો પણ અંત આણતા ખચકાતા નથી. સુરતમાં આર્થિક ભીંસને પગલે આપઘાતના અનેક બનાવો સામે આવ્યા છે. આર્થિક સ્થિતિ કફોડી બનતા સુરતમાં વધુ બે લોકોએ આપઘાત કરી લીધો છે. ઉધના ખાતે આર્થિક ભીંસને પગલે ફેબ્રિકેશનનું કારખાનું ધરાવતા યુવાન કારખાનેદારે આત્મહત્યા કરી હતી. જયારે બીજા બનાવમાં વરાછામાં એક રત્નકલાકારે બંને હાથની નસ કાપ્યા બાદ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. આપઘાતના બે બનાવથી ચકચાર મચી જવા પામી છે. કોરોના મહામારીને લઈને પહેલા લૉકડાઉન બાદ અનલોક શરૂ થયું પરંતુ વેપાર અને ઉધોગ હજુ પણ પાટા પર ચઢ્યા નથી. ત્યારે સુરતમાં આર્થિક ભીંસને લઈને બે લોકોએ આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. જેમાં પહેલા બનાવમાં ઉધનામાં હરીનગર પાસે ઉમિયાભવન ખાતે રહેતા ૨૮ વર્ષીય ભરતકુમાર નાથુરામ લુહાર ઘરમાં ગ્રાઉન્ડ ફલોર પર ફેબ્રિકેશનનું યુનિટ ચલાવતા હતા. ગતરોજ સવારે તેમણે યુનિટમાં લોખંડના હૂક સાથે પાઇપ બાંધી ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યુ હતું. આપઘાત કરનાર યુવાન ભરતકુમાર મૂળ રાજસ્થાનનો વતની હતો. પરિવારના સભ્યો ભેગા મળીને ફેબ્રિકેશનનું યુનિટ ચલાવતા હતા. તેમણે એક વર્ષ પહેલા ફોર વ્હીલર કાર હપ્તેથી લીધી હતી. જેના હપ્તા સમયસર ભરી શકતા ન હતા. સાથે તેમને નાણાકીય તકલીફ હોવાથી સતત માનસિક તાણ અનુભવતા હતા. જેથી તેણે આ પગલું ભર્યુ હતું. આ અંગે ઉધના પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ઘરી છે. બીજા બનાવમાં વરાછા રોડ પર છીતુનગરમાં રહેતા ૪૨ વર્ષીય હરેશભાઇ કેશવજીભાઇ માકડીયાએ ગતરોજ સવારે ઘરમાં બેડરૂમમાં બંને હાથની નસ કાપી લીધી હતી. બાદમાં તેણે છતના હુક સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું. તેના પરિચિતે કહ્યુ કે હરેશભાઇ મૂળ રાજકોટના ઉપલેટાના જામટીંબલીના વતની હતા. તેમને એક સંતાન છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope