ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામની ઝલક………

(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૧૨


ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું એકંદરે પરિણામ……….. ૬૯.૧૬

એ ગ્રુપના ઊમેદવારોનું પરિણામ……….. ૭૨.૩૭

એ ગ્રુપના ઊમેદવારોની સંખ્યા……….. ૪૬૪૪૬

બી ગ્રુપના ઊમેદવારોનું પરિણામ……….. ૬૧.૯૩

બી ગ્રુપના ઊમેદવારની સંખ્યા……….. ૧૫૯૮૯

એબી ગ્રુપના ઊમેદવારોનું પરિણામ……….. ૧૨.૯૯

એબી ગ્રુપના ઊમેદવારોની સંખ્યા……….. ૪૬

એ-૧ ગ્રેડ મેળવનાર ઊમેદવાર………..૩૪૪

એ-૨ ગ્રેડ મેળવનાર ઊમેદવાર………..૪૯૭૧

વિદ્યાર્થીઓનું પરિણામ………..૬૭.૩૪

વિર્દ્યાિથનીઓનું પરિણામ……….. ૭૧.૭

ગુજરાતી માધ્યમનું પરિણામ ………..૬૮.૪૬

અંગ્રેજી માધ્યમનું પરિણામ ………..૭૫.૧૨

૯૯થી ઊપર રેન્ક મેળવતા ઊમેદવારની સંખ્યા……….. એ ગ્રુપના ૫૩૭, બી ગ્રુપના ૨૦૮

સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો……….. પંચમહાલ

સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર……….. કડી

ઓછુ પરિણામ ધરાવતુ કેન્દ્ર……….. વડાલી(૨૫.૨૧)

ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો……….. નર્મદા(૩૦.૬૭)

૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળા……….. ૩૨

૧૦ ટકા કરતા ઓછુ પરિણામ ધરાવતી શાળા……….. ૪૮

એક વિષયમાં પરિણામ સુધારણાની જરૂરિયાત વાળા વિદ્યાર્થી ……….. ૮૨.૯૭

ગેરરીતિના કેસોની સંખ્યા……….. ૨૩

 

ગુજરાતમાં ૭૦,૦૦૦ કરોડ ખેત ઊત્પાદન માટેની ધારણા : કાૃષિક્ષેત્રે ગ્રામક્રાંતિ કરવા માટેનો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો નિર્ધાર : કપરાણાનાં નાનાપૌઢામાં કાૃષિમેળો ખુુલ્લો મૂકાયો

(સંપૂર્ણ સમાચાર સેવા)

ગાંધીનગર, તા. ૧૨

નરેન્દ્ર મોદીએ ગામડાની બધી જ ર્આિથક શકિતને સંપૂટ કરીને ગુજરાતના ગામડાને સુખી અને સમાૃદ્ધ બનાવવાનો નિર્ધાર કર્યો હતો.  એક મહિનાના કાૃષિ મહોત્સવના અભિયાનને આગળ ધપાવતાં મુખ્યમંત્રીએ ગુજરાતને કાૃષિક્રાંતિ નેતાૃત્વ અપાવવા આહ્વાન કર્યું હતું. અખાત્રીજથી ગુજરાતમાં શરૂ થયેલા કાૃષિ મહોત્સવના ભાગરૂપે આજે દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓનો વિશાળ કાૃષિમેળો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપાઢા ગામે મુખ્યમંત્રીએ ખુલ્લો મુકયો હતો. વનવાસી કિસાન શકિતના સામર્થ્યની પ્રતિતીરૂપે આદિવાસીઓના કાૃષિ અને પશુપાલન આધારિત સમાૃદ્ધિના સપના સાકાર કરવા તાલુકા કાૃષિ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. ઊનાળામાં ખેડૂતોની અને ખેતીની ચતા કરનારી આ સરકારની પ્રતિબદ્ધતાની રૂપરેખા આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કાૃષિ મહોત્સવની સફળતાને ગુજરાતને ભારતમાં કાૃષિક્રાંતિના નેતાૃત્વનું ગૌરવ અપાવ્યું છે. ખેડૂતની અનેકવિધ પ્રકારની મૂંઝવણો અને મુશ્કેલીઓનો ઊકેલ આ કાૃષિ મહોત્સવના અભિયાનથી ગુજરાત સરકાર લાવી શકી છે. ચાર કાૃષિ યુનિર્વિસટીઓના ૭૦૦ જેટલા કાૃષિ વૈજ્ઞાનિકો અને એક લાખ જેટલા સરકારી કર્મયોગીઓ ખેતરો ખૂંદી રહ્યા છે. તેના પરિણામે સાત-સાત વર્ષથી ગુજરાતના કિસાનોએ ખેતીનું ઊત્પાદન અગાઊ રૂ।. ૧૪,૦૦૦ કરોડની કાૃષિની આવક હરણફાળ ભરીને રૂ।. ૫૯,૦૦૦ કરોડ ઊપર પહાચી છે અને આ વર્ષે તો રૂ।. ૭૦,૦૦૦ કરોડનો ખેત ઊત્પાદનનો વિક્રમ સર્જાશે.

 

સૌથી વધુ પરિણામ પંચમહાલ જિલ્લો ૮૨.૨૮ ટકા : ધોરણ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે ૬૯.૧૬ ટકા પરિણામ જાહેર

 

૧૦૦ ટકાવાળી શાળા ઘટીને ૩૨ : ૧૦ ટકાથી ઓછા પરિણામવાળી શાળા વધીને ૪૮ થઇ : ૮૨૭૯ને પરિણામમાં સુધારા : ગુજકેટનું પરિણામ જાહેર

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા.૧૨

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૧માં લેવાયેલી ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષાનું ૬૯.૧૬ ટકા પરિણામ આવ્યુ છે. જે ગત વર્ષ કરતા ૬.૬૧ ટકા પરિણામ ઓછુ આવ્યુ છે. આ વખતે સૌથી વધુ પરિણામ કડી કેન્દ્રનું ૯૬.૬૩ અને પંચમહાલ જિલ્લાનું ૮૨.૨૮ ટકા આવ્યુ છે. આ વખતે ૧૦૦ ટકા પરિણામવાળાની સંખ્યા ઘટીને ૩૨ થઇ છે અને ૧૦ ટકા પરિણામવાળા વધી ૪૮ થઇ છે. એ૧ ગ્રેડ સાથે ૩૪૪ અને એ૨ ગ્રેડ સાથે ૪૯૭૧ વિદ્યાર્થીઓ આવ્યા છે. સૌથી વધુ પરિણામ વિર્દ્યાિથનીઓનું ૭૧.૭ ટકા આવ્યુ છે જયારે એક વિષયમાં ૮૨૯૭ વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારણાની જરૂરિયાત છે. સાયન્સમાં અમદાવાદ શહેરમાં ૬૪૭૯ અને અમદાવાદ ગ્રામ્યમાં ૩૩૯૭ વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાના પાત્ર બન્યા છે. જયારે ૯૯થી ઊપર પર્સન્ટાઇલ રેન્ક મેળવનાર એ ગ્રુપમાં ૫૩૭ અને બી ગ્રુપમાં ૨૦૮ વિદ્યાર્થીઓ છે. જયારે મેથ્સમાં ૧૦૦ માર્ક વિદ્યાર્થીઓની સંખ્યા ૩૦ છે. આ ઊપરાંત આજ રોજ જાહેર થયેલા ગુજકેટના પરિણામમાં ૯૯થી ઊપર પર્સન્ટાઇલ રેન્ક મેળવનાર એ ગ્રુપમાં ૬૮૭ અને બી ગ્રુપમાં ૨૬૧ વિદ્યાર્થીઓ છે.ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધો-૧૨ સાયન્સના પરિણામમાં પ્રથમ વખત ટોપટેનની યાદી જાહેર કરવામાં આવી નથી. બોર્ડ પ્રથમ વખતે વિદ્યાર્થીઓને ગ્રેડ અને પર્સન્ટાઇલ રેન્ક આપવામાં આવ્યા છે. આ વખતે માર્કસીટમાં પાસ-નાપાસ જાહેર કરવામાં આવ્યા નથી. ચાલુ વર્ષે બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૧માં લેવાયેલી ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષામાં કુલ ૯૧૪૪૪માંથી ૬૩૩૭૪ વિદ્યાર્થીઓ અને ૨૮૦૭૦ વિર્દ્યાિથનીઓ નાધાઇ હતી. આમાંથી કુલ ૬૨૪૮૧ વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બનતાં પરિણામ ૬૯.૧૬ ટકા આવ્યું છે. જે ગતવર્ષના ૭૫.૭૭ ટકા કરતા ૬.૬૧ ટકા ઓછુ આવ્યુ છે. આ વખતે સૌથી વધુ પરિણામ કડી કેન્દ્રનું ૯૬.૬૩ ટકા અને ઓછુ પરિણામ વડાલી કેન્દ્રનું ૨૫.૨૧ ટકા આવ્યુ છે. આવી જ રીતે સૌથી વધુ પરિણામ પંચમહાલ જિલ્લાનું ૮૨.૨૮ ટકા અને ઓછુ પરિણામ નર્મદા જિલ્લાનું ૩૦.૬૭ ટકા આવ્યુ છે. આ વખતે ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળા ૩૨ છે જે ગતવર્ષે ૬૫ હતી આવી જ રીતે ૧૦ ટકાથી ઓછા પરિણામવાળી સંખ્યા ગતવર્ષની ૬ શાળાની સરખામણીમાં ૪૮ શાળા થઇ છે. આ વખતે વિદ્યાર્થીઓનું પરિણામ ૬૭.૩૪ ટકા આવતા વિર્દ્યાિથનીઓનું ૭૧.૭ ટકા પરિણામ સાથે બાજી મારી ગઇ છે. સાયન્સમાં ૯૯થી ઊપર પર્સન્ટાઇલ રેન્ક મેળવનાર એ ગ્રુપમાં ૫૩૭ અને બી ગ્રુપમાં ૨૦૮ વિદ્યાર્થીઓ છે. આ વખતે પણ સાયન્સમાં અંગ્રેજી માધ્યમનું ૭૫.૧૨ ટકા કરતા ગુજરાતી માધ્યમનુું ૬૮.૪૬ ટકા સાથે ઓછુ પરિણામ આવ્યુ છે. આ વખતે ગેરરીતિના ૨૩ કેસ નાધાયા છે. જયારે ગતવર્ષે ૧૮ કેસ હતા. આ વખતે એ ગ્રુપના ઊમેદવારો ૪૬૪૪૬(૭૨.૩૧ ટકા), બી ગ્રુપના ઊમેદવારો ૧૫૯૮૯(૬૧.૯૩ ટકા) અને એબી ગ્રુપના ઊમેદવાર ૪૬(૧૨.૯૯ ટકા) પરિણામ આવ્યુ છે. ૧૦૦ ટકા માર્ક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા વિષય પ્રમાણે જોઇએ તો મેથ્સમાં ૩૦, કેમેસ્ટ્રીમાં ૩, ફિઝિકસમાં ૬, બાયોલોજી ૮ અને કોમ્પ્યુટરમાં બે વિદ્યાર્થીોનો સમાવેશ થાય છે. ધો-૧૨ સાયન્સમાં ૨૦ ટકા પાસગ સ્ટાન્ડર્ડથી ૧૫ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વખતે સાયન્સમાં ૧૧૧ વિકલાંગ વિદ્યાર્થીઓમાંથી એ૧ ગ્રેડમાં એક પણ વિદ્યાર્થી આવ્યા નથી.  વિકલાંગ વિદ્યાર્થીઓનું પરિણામ ૭૯.૨૮ ટકા આવ્યુ છે. ગ્રેડ પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યામાં એ૧ ગ્રેડમાં ૩૪૪, એ૨ ગ્રેડમાં ૪૭૭૧, બી૧ ૧૧૨૭૨, બી૨ ૧૫૪૮૦, સી૧ ૧૭૯૯૫, સી૨ ૯૯૨૧, ડી ૨૪૯૮ અને ઇ૧ અને ઇ૨ ગ્ડમાં ૨૮૦૮૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આમ કુલ  ડી કે તેથી ઊપરના ગ્રેડવાળા કુલ ૬૨૪૮૧ વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બનશે. આ વખતે ૯ વિષયમાં ૨ વિદ્યાર્થીઓને પરિણામ સુધારવાની જરૂરિયાત છે. આજ જાહેર થયેલા પરિણામમાં અમદાવાદમાં ૬૪૭૯ અને અમદાવાદ ગ્રામ્યમાં ૩૩૯૭ વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર છે. જયારે આજરોજ જાહેર થયેલા ગુજકેટના પરિણામમાં પર્સન્ટાઇલ રેન્ક ૯૯ મેળવનાર એ ગ્રુપમાં ૬૮૭ અને બી ગ્રુપમાં ૨૬૧ વિદ્યાર્થીઓ છે.

 

ઝૂંપડાઓ નહ તોડવા હાઈકોર્ટે ૬ઠ્ઠીએ આદેશ કર્યો અને કોર્પોરેશને આદેશની પરવા કર્યા સિવાય ઝૂંપડાઓ તોડ્યા

 

હાઈકોર્ટના ઓર્ડરને મ્યુ. તંત્ર ઘોળીને પી ગયું : મ્યુનિ.તંત્ર-પોલીસ કમિશનર વિરુદ્ધ કાર્યવાહીની હિલચાલ :ઝૂંપડાઓ નહ તોડવા હાઈકોર્ટે ૬ઠ્ઠીએ આદેશ કર્યો અને કોર્પોરેશને આદેશની પરવા કર્યા સિવાય ઝૂંપડાઓ તોડ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૨

અહસાના પૂજારી મહાત્મા ગાંધીના આશ્રમથી માંડ પચાસ ડગલા દૂર આવેલા દૂધેશ્વર નદી કિનારે વસતા શ્રમજીવી લોકોની હાલત ઊપર આભ અને નીચે ધરતી જેવી થઈ ગઈ છે. શ્રમજીવીઓને તેમના ઝૂંપડાઓમાંથી હટાવવા તંત્રએ કોઈ જ કસર બાકી રાખી નથી. છેલ્લાં દસ દિવસોથી આ શ્રમજીવીઓ અંગ્રેજો કરતાં પણ બદતર તંત્ર સામે લડી રહ્યા છે. પરંતુ તેમનું સાંભળવા કોઈ તૈયાર નથી. જયારે બીજી તરફ વોટના રાજકારણ માટે ચૂંટણી ઢંઢેરામાં અમદાવાદને સગાપોરની હરોળમાં મુકવા માટે માત્ર એક હજાર દિવસમાં રિવરફ્રન્ટ પ્રોજેકટ પુરો કરવાનું વચન આપનાર મોદી સરકાર હવે ૧૩ વર્ષ પછી જાગી છે અને ગમે તે ભોગે રિવર ફ્રન્ટ પુરો કરવા અધીરી બની છે. હાઈકોર્ટે ૬ મેના રોજ આ તમામ ઝૂંપડા જૈસે થે તે સ્થિતિમાં રાખવા ઓર્ડર કર્યો છે. તેમ છતાં અહસાના પુજારી ગાંધીના મૂલ્યને પણ મ્યુનિ. સત્તાવાળાઓ જાણે ઘોળીને પી ગયા હોય તેમ હાલમાં પણ ઝૂંપડાવાસીઓ પર દમન ગુજારવાનું ચાલુ રાખ્યું છે. માહિતી એવી છે કે દૂધેશ્વર બિ્રજ નીચે આવેલા સાબરમતી નદીના પટ્ટમાં છેલ્લાં ૨૦ વર્ષથી શ્રમજીવી લોકો ઝૂંપડા બાંધીને રહે છે. રિવર ફ્રન્ટ પ્રોજેકટને લઈ સરકાર દ્વારા સર્વે પણ કરાયો હતો.જેમાં તમામ ઝૂંપડાઓના નંબર આપી રહીશોને સર્વેની સ્લીપો પણ આપવામાં આવી હતી. ૨૦૧૦માં સાબરમતી નદીને અડીને આવેલા કે જયાં હાલમાં રિવરફ્રન્ટ બની ગયો છે તેવા ઝૂંપડાવાસીઓને મકાનો પણ ફાળવાયા હતા. પરંતુ રિવરફ્રન્ટને આગળ વધારવા અન્ય ઝૂંપડા ખસેડવા પડે તેવી સ્થિતિ હતી. આ તમામ મકાનોનો પણ સર્વે કરાયો હતો. જો કે તેમ છતાં આ ઝૂંપડાઓને કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપ્યા વિના અને નોટીસ પાઠવ્યા વિના ગત તા. ૪મે

રોજ સવારે પોલીસ કાફલા સાથે આવેલી કોર્પોરેશનની ટીમે બુલડોઝર ફેરવવાનું શરૂ કરી દીધું હતું. જે કામગીરી હાલમાં પણ ચાલુ છે. તંત્રએ ઓચતા ઝૂંપડા તોડવાનું શરૂ કરતાં ઝૂંપડાવાસીઓએ હાઈકોર્ટમાં ઘા કરી હતી. જેથી હાઈકોર્ટે ૬ઠ્ઠી મે ના રોજ ઓર્ડર કર્યો હતો કે દૂધેશ્વર બિ્રજ નીચેના ઝૂંપડાઓ જૈસે થે તેવી સ્થિતિમાં રહેવા દેવા. તેમ છતાં તંત્ર દ્વારા હાલમાં પણ ડિમોલેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. બે હજારથી વધુ ઝૂંપડાવાસીઓની સ્થિતિ હાલમાં બદતર બની ગઈ છે. હાઈકોર્ટના ઓર્ડર બાદ પણ છેલ્લાં પાંચ દિવસથી આ કામગીરી ચાલુ છે. ગઈકાલે ઝૂંપડાવાસીઓએ પોતાના વકીલ દ્વારા કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓને લેખિત જાણ કરી હતી કે, હાઈકોર્ટે ૬ઠ્ઠી મેના રોજ ઝૂંપડાઓ જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં રહેવા દેવા માટેનો ઓર્ડર કર્યો છે. તેમ છતાં પણ ગઈકાલે સવારથી જ પોલીસ કાફલા સાથે બુલડોઝર સહિતની ટીમ પહાચી ગઈ હતી. તંત્ર દ્વારા ઝૂંપડાવાસીઓને માત્ર ઠાલા વચનો આપવામાં આવી રહ્યા છે. જયારે બે ઘર થયેલા ઝૂંપડાવાસીઓની પુકાર સાંભળનાર કોઈ નથી. હવે બસ જોવાનું એ છે કે સગાપોરની હરોળમાં અમદાવાદમાં મુકાય તે પહેલાં ઝુંપડાવાસીઓને મકાન મળે છે કે પછી આ રીતે જ તેમના પર દમન ચાલુ રહેશે.

નિવાૃત્ત જસ્ટીસ ડી. પી. બુચ કમિટી પર નજર

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૨

ઝૂંપડાવાસીઓના પુનઃ સ્થાપના અને પુનઃવસન માટે નિવાૃત્ત જસ્ટીસ ડી. પી. બુચની કમિટી રચવામાં આવી છે. તમામ ઝૂંપડાવાસીઓએ મકાન માટે કમિટીમાં અરજી કરી છે.

જેથી હવે તમામ ઝૂંપડાવાસીઓની નજર કમિટી ઊપર જોડાઈ છે. આગામી દિવસોમાં કમિટીમાં નિર્ણય લેવાશે તેને લઈ ઝૂંપડાવાસીઓ પણ માન્ય રાખવા તૈયાર છે. પરંતુ હાલમાં ઝૂંપડાવાસીઓ ઊપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિમાં જીવી રહ્યા હોવાની કમિટી ઝડપી નિર્ણય લે તેમ પણ ઝૂંપડાવાસીઓ આશા સેવી રહ્યા છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope