વડોદરા : વિશ્વામિત્રી નદીની સપાટી વધી

ઉપરવાસમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે વડોદરાના આજવા સરોવરની સપાટી ૨૦૯.૭૫ ફૂટે પહોંચી ગઈ છે. જેથી હવે વડોદરામાં આગામી વર્ષ માટે પાણીનં સંકટ ટળી ગયુ છે. આગામી એક વર્ષ સુધી શહેરીજનોને પીવાનું પાણી મળી રહેશે. પરંતુ બીજી બાજુ વિશ્વમિત્રી નદીની સપાટી પણ વધતા તંત્ર એલર્ટ બન્યું છે. વડોદરાના ઉપરવાસમાં સતત વરસતા વરસાદના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી વધી ૧૬.૭૫ ફૂટ પર પહોંચી ગઈ હતી. જે હાલ ઘટીને ૧૩ ફૂટ પર આવી ગઈ છે. ૨૦૨૧ ના ચોમાસામાં પ્રથમ વખત વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે. પંચમહાલ, પાવાગઢ અને વાઘોડિયામાં ભારે વરસાદ વરસ્યો, જેના લીધે આજવા સરોવરની સપાટી પણ વધી છે. જેના કારણે વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી ૨૪ ફૂટ છે. મહત્વની વાત છે કે ઉપરવાસમાં સતત વરસાદ જાે આજ રીતે વરસતો રહેશે તો વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટી વટાવી શકે છે. હાલમાં વરસાદ રોકાતા વિશ્વામિત્રી નદીની સપાટી ઘટી ૧૩ ફૂટ પર પહોંચી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારના લોકોને હાશકારો થયો છે. આ વિશે વડોદરાના મેયર કેયુર રોકડીયાએ કહ્યું છે કે, હાલમાં વડોદરાવાસીઓ માટે ચિંતાની કોઈ વાત નથી. તેમ છતાં તંત્ર બધી રીતે તૈયાર છે. તો બીજી તરફ ૧૫ દિવસ પહેલા આજવા સરોવર ૨૦૬ ફૂટે પહોંચ્યુ હતું. શહેરની રોજની પીવાના પાણીની જરૂરિયાત ૫૨૦ એમ.એલ.ડી છે, જેને માટે ૨૦૧૨ ફૂટ પાણી આજવા સરોવરમાં હોવું જરૂરી છે. થોડા દિવસો પહેલા વડોદરામાં ઓછા વરસાદને કારણે પાણી સંકટ મંડરાઈ રહ્યુ હતું, ત્યારે મેયરે પૂર્વ નર્મદા મંત્રીને નર્મદા નિગમથી પાણી આપવા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદાની સબ કેનાલ દ્વારા આજવા સરોવર ડેમમાં પાણી આપવાની મંજૂરી પણ આપી છે. જાેકે આ પાણી વિના મૂલ્યે નહિ મળે તેવુ લેખિતમાં કહેવાયુ હતું. હાલ જાેકે સારો વરસાદ વરસતાં વડોદરાવાસીઓને નર્મદાના નદીના પાણીની જરૂર નહિ પડે એમ લાગી રહ્યું છે. તો પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવત કહે છે કે, ૨૦૧૪ કે ૨૦૧૯ માં વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી ઉપર પાણી આવતા જ હજ્જારો શહેરીજનોના ઘરમાં પાણી પ્રવેશ્યા હતા. હાલ પણ પાણી વધતા વડસર સહિતના વિસ્તારમાં પાણી પ્રવેશી શકે છે, કોર્પોરેશન તંત્રએ અત્યારથી જ એલર્ટ થઈ વ્યવસ્થાઓ કરવાની જરૂર છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope