ફોરેન્સિક રિપોર્ટમાં કોઈ પુરાવો હાથ ન લાગ્યો
છત પરના પંખા સાથે લટકતા કપડાની સ્ટ્રેન્ગ્થ ટેસ્ટિંગ પછી એવું તારણ આવ્યું હતું કે આ આંશિક ફાંસી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૨૪
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના મોતના કેસમાં ફોરેન્સિક રિપોર્ટ આવી ગયો છે. જેમાં કહેવાયું છે કે સુશાંતની હત્યાનો કોઈ પુરાવો તેમને મળ્યો નથી. ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન ઑફ ક્રાઇમ એન્ડ સાયન્ટિફિક સર્વિસિસ (ઝ્રજીહ્લન્)એ એવો સંકેત કર્યો હતો કે સુશાંતની હત્યા થઇ હોય એવો કોઇ પુરાવો મળ્યો નથી. જોકે આ રિપોર્ટ હજુ જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ ઝ્રજીહ્લન્ સાથે સંકળાયેલા એક સૂત્રે આ માહિતી આપી હોવાનો દાવો એક ટીવી ચેનલે કર્યો હતો. ઝ્રજીહ્લન્ દ્વારા સુશાંતના વાંદરા ખાતેના ઘરે રિકન્સ્ટ્રક્શન ઑફ ક્રાઇમ કરવામાં આવ્યું હતું. એમાં એવું જાણવા મળ્યું હતું કે સુશાંતે બંને હાથની મદદથી ગળે ફાંસો લગાડ્યો હશે. એની હત્યા થઇ હોવાનો કોઇ પુરાવો હાથ લાગ્યો નહોતો. ઝ્રજીહ્લન્એ પોતાનો આ રિપોર્ટ સીબીઆઇને સોંપી દીધો હતો.
ઝ્રજીહ્લન્નાં સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે આ કેસમાં પાર્શ્યલ હેંગીંગ જેવું લાગતું હતું એટલે કે ફાંસી લેતી વખતે સુશાંતના પગ ધરતીને સ્પર્શતા હતા. એ હવામાં નહોતો. એ પલંગ કે સ્ટૂલ જેવી કોઇ ચીજ પર ઊભો હશે. ક્રાઇમ સીનને નવેસર ભજવતી વખતે ઝ્રજીહ્લન્ના ધ્યાનમાં આવ્યું હતું કે છત પરના પંખા સાથે લટકતા કપડાની સ્ટ્રેન્ગ્થ ટેસ્ટિંગ પછી એવા તારણ પર અવાયું હતું કે આ આંશિક ફાંસી હતી.
સુશાંતે લટકી જવા માટે પોતાના બંને હાથનો ઉપયોગ કર્યો હશે. જો કે લટકી જવા માટે જમણા હાથનો વધુ ઉપયોગ કર્યો હશે. ત્યારબાદ શરીરને આંચકો આપીને સ્ટૂલ કે પલંગ જેવો ટેકો છોડી દીધો હશે. સુશાંતના ઓરડામાં હાજર હોય એવા કપડાથી ફાંસી લેવામાં આવી હતી.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...