વીવીઆઈપી માટે રિઝર્વ ફેસિલિટીમાં રખાયા
શાહની તબિયત લથડતાં શનિવાર મોડીરાત્રે એઇમ્સમાં દાખલ, હોસ્પિટલ દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૧૩
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહને ફરી એકવાર શ્વાસ લેવામાં તકલીફ પડતાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસમાં દાખલ કરાયા છે. જણાવી દઈએ કે શાહને ૧૫ દિવસ પહેલા જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. જોકે, ફરીથી તબિયત લથડતાં શનિવારે મોડીરાત્રે તેમને એમ્સમાં દાખલ કરાયા છે. જોકે, હોસ્પિટલ દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. સૂત્રોએ જણાવ્યું છે કે શાહને શનિવારે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, તેમને કાર્ડિયો ન્યૂરો ટાવરમાં રાખવામાં આવ્યા છે, જે વીવીઆઈપી માટે રીઝર્વ ફેસિલિટી છે. શાહ એઈમ્સના ડિરેક્ટર ડો રણદીપ ગુલેરિયાની દેખરેખમાં સારવાર હેઠળ છે. તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
ભૂતકાળમાં કોરોના સંક્રમણથી સ્વસ્થ થવા છતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આરોગ્યની સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. તેમને ફરી એક વખત દિલ્હી સ્થિત છૈૈંંસ્જીમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાથી સ્વસ્થ થયા પછી તેમને શ્વસનની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ તેમને કોરોનાથી સ્વસ્થ થયા પછી પોસ્ટ-કોવિડ સારવાર માટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ૩૧ ઓગસ્ટે તેમને રજા આપવામાં આવી હતી.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...