માસ્ક પહેરવાથી ઈમ્યુનિટી વધે છે : અહેવાલમાં ખુલાસો

વૈજ્ઞાનિકોના રિસર્ચમાં મોટો દાવો કર્યો
દુનિયામાં ઘણી વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે જોકે તેના આગામી વર્ષની શરૂઆત સુધી આવવાની સંભાવના નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૧૩
દુનિયાભરમાં ઘણી વેક્સીનનું ટ્રાયલ હાલમાં ચાલી રહ્યું છે જોકે તેના આગામી વર્ષની શરૂઆત સુધી આવવાની સંભાવના નથી. વેક્સીન લોન્ચ થવા પર દેશમાં તેની પૂરતી સપ્લાય પહોંચવામાં પણ લાંબો સમય લાગી શકે છે. એવામાં વૈજ્ઞાનિકો કેટલાક અન્ય ઉપાયો તરફ ધ્યાન દોરી રહ્યા છે. કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોરોના કાળમાં માસ્ક પહેરવાથી ઈમ્યુનિટી ડેવલપ થઈ શકે છે અને કોવિડનું સંક્રમણ ધીમું પડી શકે છે. તેમણે કહ્યું કે માસ્ક વાયરસના સંક્રામણકારી ભાગને ફિલ્ટર કરી શકે છે, પરંતુ સંપૂર્ણ રીતે રોકી નથી શકતા. એવામાં કોરોના ઈન્ફેક્શન થશે તો જરૂર પરંતુ તે ઘાતક નહીં હોય. એક રીતે આ ભયંકર તાવની જગ્યાએ સામાન્ય તાવ સહન કરવા જેવું હશે. ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં કેલિફોર્નિયા યુનિવર્સિટીના મોનિકા ગાંધી અને જોર્જ રધરફોર્ડે આ વિચાર સામે મૂક્યો છે. અછબડાની વેક્સીન આવી ત્યાં સુધી લોકો ફટ્ઠર્િૈઙ્મટ્ઠર્ૈંહ લેતા હતા. તેમાં જેને બીમારી ન હોય, તેમને અછબડાના દર્દીઓની વસ્તુના સંપર્કમાં લાવતા હતા. તેનાથી તેમને સામાન્ય ઈન્ફેક્શન થતું હતું પરંતુ સંપૂર્ણ રીતે બીમાર થવાથી બચાવી લેવાતા હતા. વૈજ્ઞાનિકો કોવિડમાં પણ આવી જ સંભાવના જોઈ રહ્યા છે. આ પાછળ વાઈરલ પેથોજેનેસિસની જૂની થિયરી છે, જે કહે છે કે બીમારીની ગંભીરતા તેના પર નિર્ભર કરે છે કે વાયરસ ઈનોક્યુલમ (વાયરસનો સંક્રમણકારી ભાગ) શરીરમાં કેટલો ગયો છે. ગાંધી અને રધરફોર્ડનું કહેવું છે કે જો કોવિડ ઈન્ફેક્શનની ગંભીરતા પણ વાઈરલ ઈનોક્યુલમ પર નિર્ભર કરે છે તો ફેસ માસ્ક પહેરીને બચાવ થઈ શકે છે. તેનાથી વાયરસની અસર થોડી ઓછી થઈ જશે. અભ્યાસમાં બંનેએ કહ્યું, ’કારણ કે માસ્ક વાયરસની ઉપસ્થિતિવાળા કેટલાક ડ્રોપલેટ્‌સને ફિલ્ટર કરી શકે છે, એવામાં માસ્ક પહેરવાથી કોઈ વ્યક્તિના શરીરમાં ઈનોક્યુલમ ઓછું થઈ શકે છે.’ ઉંદરો પર એક પ્રયોગના પરિણામથી આ થિયરીને સમર્થન મળે છે. જાણકારી મળી કે જે ઉંદરોએ માસ્ક પહેર્યું હતું કે, તેમને ઈન્ફેક્શન થવાની સંભાવના ઓછી રહી અથવા તો માત્ર સામાન્ય ઈન્ફેક્શન થયું. બંને વૈજ્ઞાનિકોએ કહ્યું, વેક્સીનથી ઉમ્મીદ ન માત્ર ઈન્ફેક્શન રોકવાની હોય છે, પરંતુ મોટાભાગના વેક્સીન ટ્રાયલમાં બીમારીની ગંભીરતા ઘટાડી દે છે. એટલે કે એવા કેસો વધી જાય છે જેમાં બીમારી કમજોર અથવા લક્ષણો વિનાની હોય છે.’ બંને વૈજ્ઞાનિકોએ કહ્યું કે, તેમની થિયરી છે કે નવા વાઈરલ ઈન્ફેક્શનની અસર ઓછી કરવાથી એવા લોકોની સંખ્યા વધશે જેઓ અસિમ્પોમેટિક રહે છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope