રાજ્યસભામાં એક સવાલના ઉત્તરમાં આરોપ
માસ્ક, સેનીટાઇઝર કે બીજી કોઇ અગમચેતી વિના એક સ્થળે તબલિગી જમાતની ભીડ લાંબા સમય સુધી રહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૧
કેન્દ્ર સરકારે કોરોના મહામારી અને તબલિગી જમાત વચ્ચેના સંબંધ અંગે સોમવારે રાજ્યસભામાં કહ્યું હતું કે માસ્ક, સેનીટાઇઝર કે બીજી કોઇ અગમચેતી વિના એક સ્થળે તબલિગી જમાતની ભીડ લાંબા સમય સુધી રહી હતી એટલે કોરોનાનું સંક્રમણ વધી ગયું હતું. આ સંદર્ભમાં પોલીસે તબલિગી જમાતના ૨૨૩ જણની ધરપકડ કરી હતી,. જમાતના વડા મનાતા મૌલાના સાદની તપાસ હજુ ચાલુ છે. આ વર્ષના માર્ચની આખરે નિઝામુદ્દીન મરકજમાં હજારો દેશી વિદેશી તબલીગીઓ એકઠા થયા હતા. આ લોકોએ માસ્ક કે સેનીટાઇઝર યા અન્ય કોઇ અગમચેતીનું પાલન કર્યું નહોતુંય અહીંથી નીકળીને ઘણા તબલીગીઓ દેશના વિવિધ સ્થળે પ્રસરી ગયા હતા અને તેમને કારણે કોરોનાનું સંક્રમણ વધી ગયું હતું. મૌલાના સાદ તબલીગી જમાતના નેતા હોવાનું કહેવાય છે.
મુસ્લિમ વિદ્વાન અને સંશોધક અતીક ઉર રહેમાનના કહેવા મુજબ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન તબલીગ સમાજની સ્થાપના થઇ હતી. આ લોકો સુન્ની મુસ્લિમ હોય છે અને ઇસ્લામનો પ્રચાર કરે છે. દુનિયાભરમાં આ સમાજના ૧૫૦ મિલિયન સભ્યો હોવાનો જમાતનો દાવો છે.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...