બનાસકાંઠાની ગૌશાળાઓને ૧૬ કરોડ ચૂકવાશે
રાજ્યની તમામ રજિસ્ટર્ડ ગૌશાળા પાંજરાપોળોના પશુઓ માટે પ્રતિદિન પશુદીઠ રૂપિયા ૨૫ લેખે સહાય અપાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૧
ગૌ સંવર્ધન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, જીવદયાપ્રેમી અમારી સરકારને જેને ગાય માટે પ્રેમ નથી અમને એમની સાથે પ્રેમ નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી રાજ્યની સંવેદનશીલ સરકારે ગૌશાળા પાંજરાપોળોને સહાયરૂપ થવા માટે ૧૦૦ કરોડની નવી યોજના જાહેર કરી છે. આજે વિધાનસભા ખાતે ઉત્તર ગુજરાતમાં ગાયોને રસ્તા પર છોડી દેવા બાબતના ટૂંકી મુદતના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી ચુડાસમાએ કહ્યું કે, રાજ્યની રજિસ્ટર્ડ ગૌશાળાઓ-પાંજરાપોળોમાં માળખાગત સવલતોના નિર્માણ માટે આ ૧૦૦ કરોડની જોગવાઇ કરાઇ છે. પાંજરાપોળના સંચાલકોને એક ગાય કે પશુદીઠ ઘાસચારા સહાય આપવા બાબતે કોવિડ-૧૯ વૈશ્વિક મહામારીમાં પશુઓ પ્રત્યે જીવદયાની ભાવના રાખીને રાજ્યની તમામ રજિસ્ટર્ડ ગૌશાળા-પાંજરાપોળોના પશુઓ માટે પ્રતિદિન પશુદીઠ રૂ.૨૫ લેખે એપ્રિલ-મે-૨૦૨૦ દરમિયાન ૬૧.૧૪ કરોડની સહાય ચૂકવાઇ છે. જે પૈકી બનાસકાંઠાની ગૌશાળા-પાંજરાપોળોને ૧૦.૭૨ કરોડની સહાય ચૂકવાઇ છે. ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકોની રજૂઆતને ધ્યાને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગામી ત્રણ માસ આ સહાય ચૂકવવાનો પણ મહત્વનો નિર્ણય કર્યો છે. આ માટે ૧૦૦ કરોડની સહાય ચૂકવાશે. જે પૈકી બનાસકાંઠા જિલ્લાની ગૌશાળા-પાંજરાપોળોને ૧૬ કરોડ ચૂકવાશે. તેમણે ઉમેર્યું કે, જીવદયા પ્રેમી અમારી સરકારે પક્ષીઓને બચાવવા માટે ઉત્તરાયણના પર્વ દરમિયાન કરુણા અભિયાન શરૂ કરીને પક્ષીઓના જીવ બચાવ્યા છે એ જ રીતે પશુઓને ત્વરિત સારવાર આપવા માટે પણ કરુણા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...