કોરોનાની લપેટમાં આવતાં ભૂમિ પૂજન પર ચિંતા
૫ ઓગસ્ટના રોજ ત્યાં વડાપ્રધાન મંદિર માટે ભૂમિ પૂજન કરવા આવી રહ્યા છે, ભૂમિ પૂજનની ધમધોકાર તૈયારીઓ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અયોધ્યા
ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લામાં આગામી અઠવાડિયે પાંચમી ઓગસ્ટના રોજ રામજન્મભૂમિ મંદિર માટે ભૂમિ-પૂજન થવા જઈ રહ્યું છે. આ અગાઉ એક ચિંતાજનક ઘટના સામે આવી છે. રામજન્મભૂમિ મંદિરના પૂજારી પ્રદીપ દાસ અને મંદિરની અંદર સુરક્ષામાં લાગેલા ૧૬ પોલીસ કર્માચારીઓના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. પ્રદીપ દાસ રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસના શિષ્ય છે અને રામલલા મંદિરના ભૂમિ પૂજનમાં સામેલ થવાના હતા. અત્યારે મંદિરમાં ચાર પુજારી છે. જેમાં મુખ્ય પુજારી સત્યેન્દ્ર દાસ પછી પ્રદીપ દાસ જ છે. મંદિરમાં રહેનારા લોકોનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવવાથી અયોધ્યા પ્રશાસન ચિંતિત છે કારણ કે ૫ ઓગસ્ટના રોજ ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિર માટે ભૂમિ પૂજન કરવા આવી રહ્યા છે. મંદિરના ભૂમિ પૂજનનની ધમધોકાર ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે મંદિરના પૂજારી અને સુરક્ષા કર્મચારીઓ કોરોનાની લપેટમાં આવી જતા હવે ભૂમિ પૂજન પર ચિંતાના વાદળો છવાઈ ગયાં છે. આચાર્ય સત્યેન્દ્રદાસ રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પુજારી છે. તેની સહાયતા માટે અન્ય ચાર પુજારીઓ પણ રામલલાની સેવા કરે છે.જોકે ,પૂજારી અને રામ જન્મભૂમિમાં તૈનાત સુરક્ષાકર્મીઓને કોરોના સંર્ક્મણ થયાની વાતને સીડીઓ પ્રથમેશ કુમારે નકારી છે.રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડો.અનિલ મિશ્રાએ જણાવ્યું કે, રામ જન્મભૂમિ પરિસરમાં પૂજારીઓ દ્વારા ૩ ઓગસ્ટથી જ શાસ્ત્રોક્ત ધાર્મિકવિધિ સાથે પૂજન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. ત્રણ ઓગસ્ટના રોજ ગણેશ પૂજાની સાથે ઉત્સવ શરુ થશે. ૪ ઓગસ્ટના રોજ રામાર્ચા કાર્યક્રમ અને ૫ ઓગસ્ટના રોજ સવારે ૫ વાગે ગર્ભગૃહ સ્થાને પૂજન અને શાસ્ત્રોક્ત ધાર્મિકવિધિ યોજાશે જેને કાશીના વિદ્વાનોના નેતૃત્વમાં ૧૧ પૂજારીઓની ટીમ સંપન્ન કરાવશે.આ જ ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભૂમિપૂજન કાર્યક્રમને વૈદિક મંત્રોંચ્ચાર અને શાસ્ત્રોક્ત ધાર્મિકવિધિ સાથે સંપન્ન કરાવશે. ડો. મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે ત્રણ દિવસની પૂજા અને ધાર્મિકવિધિની વ્યવસ્થા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સંયોજનમાં યોજાશે.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...