રાજા મૌલી હોમ ક્વોરન્ટાઈન થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા. ૩૦
બાહુબલી ફિલ્મ જેણે ડાયરેક્ટ કરી હોય તે પોતે પણ બાહુબલીથી કમ ન હોય તે સ્વાભાવિક છે પણ વાઇરસે કોઈ ભેદ રાખ્યા નથી. પ્રભાસ અભિનિત આ ફિલ્મના ડાયરેક્ટર એસ એસ રાજામૌલી અને તેમના પરિવારનો કોવિડ-૧૯ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હોવાથી તેઓ હાલમાં પોતાના ઘરે જ ક્વોરેન્ટાઈન થયા છે.
ડાયરેક્ટરે એક ટિ્વટ દ્વારા આ વાત જાહેર કરી હતી. તેમણે જણાવ્યા અનુસાર પહેલાં તેમના પરિવારને સહેજ તાવની અસર વર્તાતી હતી અને પછી તપાસ કરાવતાં તમામનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો અને તેઓ ડૉક્ટરની સલાહ અનુસાર હાલમાં ઘરે જ ક્વોરેન્ટાઇન થયા છે.
તેમણે બાદમાં પોતે સ્વસ્થતા અનુભવ છે અને બધી જ સાવચેતી રાખી રહ્યા છે તેમ પણ કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે તેઓ એન્ટિબૉડિઝ વિકસે તેની રાહમાં છે જેથી તેઓ પોતાના પ્લાઝ્મા પણ ડોનેટ કરી શકે. રાજા મૌલી ઇઇઇ નામની ફિલ્મ પર કામ કરી રહ્યા છે જેમાં એન્ટી રામ રાવ જુનિયર મુખ્ય અભિનેતા છે તથા સાથે બૉલીવુડ એક્ટર અજય દેવગણ અને આલિયા ભટ્ટ પણ જોવા મળશે.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...