છેલ્લા કેટલાક મહિનાથી મોટા પ્રમાણમાં ટ્રેનો બંધ
રેલવેનું તમામ સંચાલન માલગાડીની આવકમાંથી થાય છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૯
કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન પેસેન્જર્સ ટ્રેનની સેવા બંધ કરવાને લીધે ભારતીય રેલવેને આશરે ૩૫,૦૦૦ કરડો રૂપિયાનું ભારે નુકસાન થવાની ભીતિ છે. હાલમાં રેલવે ૨૩૦ સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરી રહી છે. રેલવે બોર્ડનુ કહેવુ છે કે રેલવેનું સંચાલન માલગાડીના સંચાલનથી થતી આવકને આધારે કરવામાં આવી રહ્યુ છે. રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમારનું કહેવું છે કે ગત નાણાકીય વર્ષમાં રેલવેની પેસેન્જર્સ ટ્રેનોથી કમાણી આશરે ૫૦,૦૦૦ કરોડ રુપિયા હતી, પરંતુ આ વર્ષે ભારે નુકસાનનું અનુમાન છે. તેમના મુજબ સ્ટેટ અને લોકલ લેવલ પર કરવામાં આવી રહેલા લોકડાઉનને લીધે સ્થિતિ ગંભીર છે. રેલવે હાલમાં માલગાડીઓના સંચાલનથી આવક મેળવી રહ્યું છે. યાદવનું કહેવું હતું કે ગત નાણાકીય વર્ષની સરખામણીએ આ સેગમેન્ટમાં આવકનું પ્રમાણ ૫૦ ટકા વધ્યુ હોવાનું અનુમાન છે. એવામાં પેસેન્જર ટ્રેનોના વિભાગમાં થયેલા નુકસાનને પહોંચી વળવા માટે રેલવે એના માલગાડી વિભાગ પર આધાર રાખી રહ્યુ છે.
રેલવેના અંદાજા મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં પેસેન્જર સેક્શનની કમાણી ગયા વર્ષની સરખામણીમાં ૧૦-૧૫ ટકા જ રહેશે. બજેટમાં રેલવેએ અનુમાન લગાવ્યું હતું કે માલગાડી સેક્શનથી તેની કમાણી ૧.૪૭ લાક કરોડ થશે અને પેસેન્જર સેક્શનથી ૬૧ હજાર કરોડ રુપિયાની આવક થશે, પરંતુ લોકડાઉનને લીધે રેલવેએ તેના અનુમાનમાં સુધારા કર્યા છે.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...