(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઇ,તા. ૧૮
બોલિવુડની લોકપ્રિય સ્ટાર સોનમ કપુરની નવી ફિલ્મ નીરજા આવતીકાલથી દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મમાં સોનમ કપુર સાહસી એરહોસ્ટેસની ભૂમિકા અદા કરવા જઇ રહી છે. આ ફિલ્મ ૨૩ વર્ષીય સાહસી ફ્લાઇટ એટેન્ડેન્ટ નીરજા ભાનોતની લાઇફ પર બનેલી ફિલ્મ છે. જે અપહરણ કરવામાં આવેલા વિમાનથી તમામ યાત્રીઓને બચાવી લેવાના પ્રયાસમાં પ્રાણોની આહુતિ આપે છે. વાસ્તિવક લાઇફ પર બનેલી ફિલ્મને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ ફિલ્મમાં શાબના આઝમી, શેખર રાજજિયાનીની પણ ભૂમિકા છે. આ ફિલ્મની રજૂઆત થાય તે પહેલા તમામને ઇન્તજાર છે. આમીરખાને કહ્યુ છે કે આ ફિલ્મ જોરદાર સફળતા મેળવી લેશે. સોનમ કપુરની પ્રશંસા કરતા આમીરે કહ્યુ છે કે ફિલ્મ તમામ લોકોને ગમી જશે. ૫૦ વર્ષીય આમીરખાને કહ્યુ છે કે ફિલ્મમાં સોનમ કપુરે જોરદાર ભૂમિકા અદા કરી છે. હજુ સુધી સોનમ કપુર દ્વારા કરવામાં આવેલી તમામ ભૂમિકા કરતા આ ભૂમિકા અલગ છે.
સોનમ કપુરની ફિલ્મ પ્રેમ રતન ધન પાયો બોલિવુડમાં સુપરહિટ સાબિત થઇ હતી. તે સફળતાના રેકોર્ડ સર્જી ગઇ હતી. જેમાં સલમાન ખાન સાથે તેની મુખ્ય ભૂમિકા હતી. સોનમ કપુર નવી અભિનેત્રીઓમાં સૌથી કુશળ તરીકે ઉભરી રહી છે. તેની પાસે મોટા બેનરની ફિલ્મો વધારે છે.