હું પ્રતિબંધ, સસ્પેન્ડની અપીલ કરીશ : પાક ખેલાડી કનેરિયા

પ્રમુખપદ માટે અન્ય કોઈ સારો કૅન્ડિડેટ નથી

સૌરવ ગાંગુલી આઈસીસી પ્રમુખ બને તો હું તેમની સમક્ષ મારા પર લાગેલા પ્રતિબંધને સસ્પેન્ડ કરવા અપીલ કરીશ

(સંપૂર્ણ સમાચાર સેવા)
કરાંચી, તા. ૯
પાકિસ્તાન ક્રિકેટ ટીમના સ્પિનર દાનિશ કનેરિયાનું કહેવું છે કે, જો ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલી આઈસીસીના પ્રેસિડેન્ટ બને તો હું તેમની સમક્ષ મારા પર લાગેલા પ્રતિબંધને સસ્પેન્ડ કરવાની અપીલ કરીશ.
દાનિશે કહ્યું કે ‘જોે સૌરવ ગાંગુલી આઈસીસીના પ્રેસિડેન્ટ બને તો હું ચોક્કસ મારા પર લાગેલા પ્રતિબંધને સસ્પેન્ડ કરવાની અપીલ કરીશ. મને સંપૂર્ણ ભરોસો છે કે આઈસીસી મને ઉગારવા માટે દરેક પ્રયત્ન કરશે. સૌરવ ગાંગુલી એક એક્સલેન્ટ ક્રિકેટર છે. તેઓ ન્યુસન્સને સમજે છે. તેમના સિવાય આઈસીસીના પ્રેસિડેન્ટપદ માટે અન્ય કોઈ સારો કૅન્ડિડેટ નથી. ગાંગુલીએ ટીમ ઇન્ડિયાને બહુ સારી રીતે લીડ કરી હતી અને તેમના બાદ મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીએ એ પરંપરા જાળવી રાખી છે. વર્તમાન સમયમાં તેઓ ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ છે અને મને ભરોસો છે કે આઈસીસીના પ્રેસિડેન્ટ બન્યા બાદ ેઓ ક્રિકેટને નવી દિશામાં લઈ જશે. મને નથી લાગતું કે તેમને કદાચ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સપોર્ટની જરૂર પડે.’ દાનિશ કનેરિયા પર ૨૦૧૨માં સ્પૉટ ફિક્સિંગ કરવાને લીધે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope