પિતા-પુત્રનાં કસ્ટડીમાં મોત પર પ્રિયંકા ચોપડાએ રોષ ઠાલવ્યો

બોલિવુડના અન્ય સેલિબ્રિટીઓનો પણ આક્રોશ

કસ્ટડીમાં કથિત રૂપે તેમની સાથે થયેલી મારપીટથી તેમનાં મૃત્યુ થયાં હતાં : બોલીવુડ સ્ટાર પ્રિયંકા ચોપડા
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૨૯
તામિલનાડુમાં જેલ-કસ્ટડીમાં થયેલી મારપીટમાં પિતા-પુત્રનું નિધન થતાં પ્રિયંકા ચોપડા જોનસે ગુસ્સો દર્શાવ્યો છે. પિતા-પુત્રનો દોષ માત્ર એટલો હતો કે, તેમણે તામિલનાડુના તુતિકોરિન જિલ્લામાં લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું એથી પોલીસે તેમની ધરપકડ કરી હતી. કસ્ટડીમાં કથિત રૂપે તેમની સાથે થયેલી મારપીટથી તેમનાં મૃત્યુ થયાં હતાં. આ ઘટનાને લઈને ટિ્‌વટર પર પ્રિયંકાએ ટ્‌વીટ કર્યું હતું કે, ‘મેં જે કાંઈ સાંભળ્યુ એનાથી હચમચી ગઈ છું. ખૂબ દુઃખી અને ગુસ્સામાં છું. કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારનો અપરાધ કરે તો પણ આ પ્રકારની હિંસાને લાયક નથી. આ ઘટનામાં દોષીઓને સજા થવી જોઈએ. વાસ્તવિકતા જાણવી જરૂરી છે. હું કલ્પના પણ નથી કરી શકતી કે તેમની ફેમિલી હાલમાં કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હશે. તેમને આ સમયે શક્તિ મળે. તેમની સાથે મારી પ્રાર્થના છે. તેમને ન્યાય આપવા માટે આપણે સાથે મળીને અવાજ ઉઠાવવો જોઈએ.’

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope