તેલંગાણામાં નરાધમોએ વાંદરાને ફાંસીએ લટકાવ્યો

હવે વાંદરા સાથે ક્રૂરતા આચરાઈ

ખેતરમાં પાક બગાડતાં અકળાયેલા ખેડૂતના કારસ્તાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો : અહેવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા) હૈદરાબાદ, તા. ૨૯
કેરળમાં ગર્ભવતી હાથણીને ફટાકડા ભરેલું અનાનસ ખવડાવી નિર્મમ હત્યાના બનાવે સમગ્ર દેશમાં આક્રોશ પેદા કર્યો હતો. હવે આ વોજ એક બનાવ તેલંગણામાં વાંદરા સાથે બન્યો છે. તેલંગાણાના ખમ્મમ જીલ્લાનો એક ક્રૂર વીડિયો સામે આવ્યો છે જેમાં કેટલાક અસામાજીક તત્વોએ વાંદરાને ફાંસીએ લટકાવી દીધો હોવાનું દેખાય છે. એટલું જ નહીં, નરાધમોએ તેમની આ ક્રૂરતાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર ફરતો કરી દીધો હતો. જેને કારણે સમગ્ર ઘટના બહાર આવી હતી. પોલીસ કેસ નોંધીને આરોપીઓને શોધવા માટે તપાસ આદરી છે. પોલીસના જણાવ્યા મુજબ અમ્માપાલેમ ગામના એક ખેતરના ઉભા પાકને વાંદરા નુકસાન પહોંચાડી રહ્યા હતા. તે જે પછી ખેતર માલિકે વાંદરાઓને નિશાન બનાવીને પકડ્યા હતા અને લાકડીઓથી માર માર્યો હતો. તે પછી વાંદરાના ટોળાને પાઠ ભણાવવા માટે વાંદરાને ફાંસીએ લટકાવી દીધો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ આરોપીઓ વિરુદ્ધ વન્યજીવ કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, પરંતુ કોરોના મહામારીને લીધે તેમની ધરપકડ કરવામાં આવી નથી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope