સંઘર્ષના સાફ સંકેત : ઉમિયાધામ ખાતે હાર્દિકની કરાયેલ અટકાયત

પાટીદાર સમુદાય અને ગુજરાત વહીવટીતંત્ર ફરી એકવાર આમને સામને આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના કોર કમિટિના સભ્ય દિનેશ બાંભણિયા ઉપર કલોલના ધર્મેન્દ્ર પટેલ સહિતના લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ પાટીદાર સમુદાયમાં રોષની લાગણી ફેલાયેલી છે. બીજી બાજુ આજે પાટીદાર અનામત માટે લાંબી લડત ચલાવનાર હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવતા રોષ વધુ વધી ગયો છે.

હાર્દિક પટેલે ઉમિયાધામ ખાતે ધરણા યોજ્યા હતા. કલાકો બાદ જ તેની પોલીસે અટકાયત કરી હતી અને હાર્દિકને પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યો હતો. હાર્દિકની સાથે અન્યોની પણ અટકાયત કરવામાં આવી હતી. ઉમિયાધામ ખાતે ધરણા પ્રદર્શનને લઇને પહેલાથી જ પોલીસે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દીધી હતી. પાંચમી ઓગસ્ટના દિવસે અમદાવાદના સોલા ઉમિયાધામ ખાતે સંમેલન યોજના તૈયારી દર્શાવવામાં આવી છે. જા કે, સરકારે હજુ સુધી મંજુરી આપી નથી જેથી સંઘર્ષના એંધાણ દેખાઈ રહ્યા છે.

પાસના લોકોનું કહેવું છે કે, પાટીદાર સમાજના શહીદ પરિવારને ૩૫ લાખ રૂપિયાની આર્થિક મદદ કરવા અને કુટુંબના એક સભ્યને સરકારી નોકરી આપવાની પણ વાત થઇ રહી છે. પાંચમીના સંમેલનમાં રાજ્ય સરકારને નિર્ધારિત સમયમાં જ સમસ્યાઓ અને માંગણીઓનો અંત લાવવા માટે અલ્ટીમેટમ આપવામાં આવશે. હજારો લોકો આમા જાડાય તેવી શક્યતા દેખાઈ રહી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની આજે પ્રેસ કોન્ફરન્સ હતી. જેને લઈને તે એસજી હાઈવે પર આવેલા ઉમિયાધામ કેમ્પસ પહોંચ્યો હતો. પરંતુ ત્યાં પહેલાથી જ પોલીસ બંદોબસ્ત હતો. તેમજ તેને અંદર પ્રવેશતો અટકાવવામાં આવ્યો હતો. જેથી તેણે પહેલા વિરોધ નોધાવ્યો હતો અને ત્યારબાદ ઉમિયાબાદ કેમ્પસના હોડિગ નીચે જ ધરણાં પર બેસી ગયો હતો. કલાકો બાદ તેની પોલીસ અટકાયત કરી હતી અને તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

ઉમિયાધામમાં પ્રવેશ ન મળતાં હાર્દિક સહિતના પાસના કાર્યકરો ઉમિયાધામના પ્રવેશદ્વારા પાસે જ ધરણાં પર બેસી ગયા હતા. કલાકો બાદ પણ ધરણાં જારી રાખતા પોલીસે તેની અટકાયત કરી હતી. હાર્દિક ઉપરાંત અન્ય ૧૦થી ૧૫ જણને પોલીસે જીપમાં બેસાડીને ક્રાઈમ બ્રાન્ચ હવેલી ખાતે લઈ ગઈ હતી. ઉમિયાધામ કેમ્પસ ખાતે પાટીદાર અનામતના પ્રેણતાએ પત્રકાર પરિષદ રાખી હતી. પરંતુ અહીં પહેલાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાથી મીડિયા કે પાસના કાર્યકર સહિત કોઈને પ્રવેશ અપાતો ન હતો. ત્યારબાદ ઉમિયાધામ પહોંચેલા હાર્દિકને પણ અંદર પ્રવેશતો અટકાવવામાં આવ્યો હતો. લાંબી રકઝક બાદ પણ તેને પ્રવેશ ન મળતાં તે ધરણા પર બેસી ગયો હતો. તેની સાથે વરૂણ પટેલ, દિનેશ બાંભણિયા અને પાસના અન્ય કાર્યકરો હતા.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope