મંગળવારે હડતાળ પર જવા બેંકોની ધમકી : સેવા ઠપ થશે

મંગળવારના દિવસે હડતાળ ઉપર જવાની બેંકોએ ધમકી આપી દીધી છે જેના પરિણામ સ્વરુપે બેંકિંગ સેવા સંપૂર્ણપણે ઠપ થઇ જાય તેવા સંકેત મળી રહ્યા છે. સરકારની સૂચિત હિલચાલ સામેના વિરોધમાં બેંકિંગ કર્મચારીઓએ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. જાહેર ક્ષેત્રની બેંકોની સેવા મંગળવારના દિવસે ઠપ રહેશે. કારણ કે, યુએફબીયુના છત્ર હેઠળ તમામ યુનિયનો હડતાળ પર જવાની ધમકી આપી દીધી છે. મોટાભાગની બેંકોએ તેમના કસ્ટમરોને પહેલાથી જ સૂચના આપી દીધી છે કે, બ્રાન્ચો અને ઓફિસોમાં કામગીરી જા હડતાળ પડશે તો ખોરવાશે.

બીજી બાજુ આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા જેવી ખાનગી બેંકોમાં ઓપરેશન ચેક ક્લીયરન્સમાં વિલંબ સિવાય સામાન્ય રહે તેવી શક્યતા છે. ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફડરેશન, ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન, નેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ બેંક વર્કર્સ સહિત નવ યુનિયનોની છત્ર સંસ્થા યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન હેઠળ યુનિયનો હડતાળ ઉપર જવાના છે.

ચીફ લેબર કમિશનર સાથેની તેમની મિટિંગ ફ્લોપ થઇ છે જેના પરિણામ સ્વરુપે હડતાળ ઉપર જવા સિવાય તેમની પાસે કોઇ વિકલ્પ રહ્યો નથી. એઆઈબીઓસીના જનરલ સેક્રેટરી ડીટી ફ્રેન્કો દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, યુનિયનો દ્વારા ઉઠાવવામાં આવેલી માંગણીઓનો ઉકેલ લાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી ચુક્યા છે પરંતુ પરિણામો મળ્યા નથી જેના લીધે હવે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયને ૨૨મી ઓગસ્ટના દિવસે હડતાળ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હડતાળના પરિણામ સ્વરુપે બેંકિંગ સેવા ખોરવાઈ જાય તેવી શક્યતા છે. યુએફબીયુ ૧૦ લાખ બેંકોની મેમ્બરશીપ ધરાવતી હોવાનો દાવો કર્યો છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope