પહેલી જુલાઈથી આધાર-પેન લિંકને ફરજિયાત કરી દેવાશે

સરકારે પહેલી જુલાઇના દિવસથી આદાર નંબરને પેન સાથે જાડી દેવાની બાબતને ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. આ વ્યવસ્થા પહેલી જુલાઇના દિવસથી અમલી કરવામાં આવનાર છે. ઇન્કમ ટેક્સ નિયમોમાં સુધારા અને ત્યારબાદ આને નોટીફાય કરવામાં આવ્યા બાદ સરકારે કેટલીક મહત્વની વાત કરી છે. પેનની અરજીના સમય પર ૧૨ આંકડાના આધાર અથવા તો નોંધણી નંબર સાથે જાડવા માટે સુચના આપી છે.

નાણાં પ્રધાન અરૂણ જેટલીએ વર્ષ ૨૦૧૭-૧૮ માટે ફાયનાન્સ બિલમાં ટેક્સની દરખાસ્તમાં સુધારા મારફતે ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવા માટે આધારને ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે.એક કરતા વધારે પેન કાર્ડના ઉપયોગ મારફતે ટેક્સ ચોરીને રોકવા આધાર સાથે પેનને જાડી દેવા માટે કહેવામાં આવ્યુ છે. કેન્દ્ર સરકારે પહેલી જુલાઈથી અમલી બને તે રીતે વ્યક્તિગતના પેન સાથે આધાર નંબરને લિંક કરવાની બાબતને ફરજિયાત બનાવી દીધી છે.

રેવેન્યુ વિભાગે કહ્યું છે કે, પહેલી જુલાઈ ૨૦૧૭ સુધી જે લોકોને પેનની ફાળવણી કરવામાં આવી છે તે લોકોને આધાર નંબર સાથે જાડી દેવાની જરૂર રહેશે. કલમ ૧૩૯ એએની પેટા કલમ ૨ની જાગવાઈ મુજબ આગળ વધવું પડશે. બીજા કેટલાક નિયમો પણ લાગૂ કરી દેવામાં આવ્યા છે. ૨.૦૭ કરોડ કરદાતાઓ પહેલાથી જ પેન સાથે તેમના આધારને લિંક કરી ચુક્યા છે. દેશભરમાં ૨૫ કરોડ પેન કાર્ડ ધારકો છે જ્યારે ૧૧૧ કરોડ લોકોને આધાર નંબર જારી કરવામાં આવી ચુક્યા છે. આ મહિનાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે આઈટીઆર દાખલ કરવા અને પેનની ફાળવણી માટે આધાર ફરજિયાત કરવાની જાગવાઈ કરતી આઈટી એક્ટની બંધારણીય કાયદેસરતાને યોગ્ય ઠેરવી હતી પરંતુ રાઇટ ટુ પ્રાઇવેસીના મુદ્દા ઉપર બંધારણીય બેંચ કાર્યવાહી ન કરે ત્યાં સુધી તેના અમલીકરણ ઉપર આંશિક સ્ટે મુક્યો હતો.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope