(સંપૂર્ણ સમાચાર સેવા)
નિર્માતા મુકેશ ભટ્ટે કહ્યુ છે કે આંશિકી-૩ ફિલ્મ માટે સિદ્ધાર્થ મલહોત્રા અને આલિયા ભટ્ટની જોડી બિલકુલ ફિટ છે. તેમને લઇને જ ફિલ્મ આગળ વધવી જોઇએ. આ જોડીને સાઇન કરી લેવામા ંઆવ્યા બાદ હવે શુટિંગ હાથ ધરવામાં આવનાર છે. મુકેશ ભટ્ટે કહ્યુ છે કે અગાઉની બે ફિલ્મની જેમ જ આ જોડી પણ ધુમ મચાવી દેશે. આંશિકી ફિલ્મમાં રાહુલ રોય અને અન્નુ અગ્રવાલે ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ બન્નેની તેમની કેરિયરની પ્રથમ ફિલ્મ હતી. ફિલ્મ રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. અભિનેતા રાહુલ રોય રાતોરાત સુપરસ્ટાર બની ગયો હતો. તેની પાસે એક સાથે અનેક ફિલ્મો આવી હતી. આ ફિલ્મ બાદ તેની તમામ લોકોએ નોંધ લીધી હતી. ત્યારબાદ આંશિકી-૨ ફિલ્મ આવી હતી. જેમાં આદિત્ય રોય કપુર અને શ્રદ્ધા કપુરે ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ પણ અગાઉની જેમ જ સારા ગીત સંગીતના કારણે સુપરહિટ સાબિત થઇ હતી. હવે ત્રીજા ભાગની તૈયારી ચાલી રહી છે. આંશિકી-૩ આલિયા અને સિદ્ધાર્થની ત્રીજી ફિલ્મ છે. બન્ને સ્ટુડન્ટ ઓફ ધ યર અને કપુર એન્ડ સન્સમાં સાથે કામ કરી ચુક્યા છે. સિદ્ધાર્થ અને આલિયાની પસંદગી કરી લેવામાં આવી હોવાના અહેવાલને મુકેશ ભટ્ટે સમર્થન આપ્યુ છે. મુકેશ ભટ્ટે કહ્યુ છે કે ફિલ્મની પ્રાથમિક તૈયારી શરૃ કરવામાં આવી ચુકી છે. વર્ષ ૧૯૯૦માં આંશિકી ફિલ્મ રજૂ થઇ હતી. જે એ વખતની સૌથી મોટી હિટ ફિલ્મ રહી હતી. આંશિકી-૨ ફિલ્મ ૨૦૧૩માં રજૂ કરવામાં આવી હતી. મોહિત સુરી હવે ત્રીજી ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે. ફિલ્મના શુટિંગને ટુક સમયમાં શરૃ કરવાની તૈયારી ચાલી રહી છે. પહેલા કલાકારો પાસેથી તારીખ અને જરૃરી સમય મેળવી લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે.